જામનગર જીલ્લામાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો છે. જામનગર શહેરમાં 217 ગાયમાં લંપી સ્કિન ડીસીઝ જોવા મળ્યો છે, જેના કારણે ચિંતા વધી ગઇ છે. લંપી વાયરસને જોતાં જામનગર જીલ્લા પંચાયત પશુપાલન ખાતા દ્વારા સઘન સારવાર અને રસીકરણ શરુ કરી દેવાયું છે. લંપી વાયરસના કારણે એક ગાયનું મોત થયું હોવાનું જાણવા મળે છે.
જામનગરમાં લંપી વાયરસે દેખા દીધી છે. રાજ્યમાં જામનગર જીલ્લામાં છેલ્લા 23 દિવસમાં 217 જેટલા લંપી વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. જેના પગલે પશુપાલન ખાતામાં દોડધામ મચી ગઇ છે અને જીલ્લામાં સર્વત્ર સારવાર અને રસીકરણ શરુ કરી દેવાઇ છે. અત્યાર સુધીમાં 2665 ગાયોનું રસીકરણ કરવામાં આવ્યું છે. વાયરસનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા શરુ કરવામાં આવ્યા છે. પશુમાં મોટાભાગમાં ગાયનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી લંપી વાયરસના કારણે એક ગાયનું મોત થયું છે પણ બિન સત્તાવાર રીતે મોતનો આંકડો 50થી વધુ હોવાનું મનાઇ રહ્યું છે. ધ્રોલ તાલુકા મથકે અને તાલુકાના લતીપર ગામ સહિત આઠ ગાય લંપીનો શિકાર બની છે. ગાયોમાં પ્રસરેલા રોગચાળાને અટકાવવા પશુ પાલન તંત્ર મેદાનમાં ઉતરી ગયું છે. શહેરમાંથી હવે રોગચાળો ગામડા સુધી પહોંચ્યો છે.
લંપી વાયરસની વધુ અસર ગાયોમાં જોવા મળી રહી છે. આ વારસના કારણે ગાયોમાં તાવ આવવો તથા ફોડલા થવા સહિતના લક્ષણો જોવા મળે છે. જો આવા લક્ષણો ગાયમાં જોવા મળે તો તેને ઝડપથી સારવાર આપવી જોઇએ અને જો ઝડપી સારવાર ના મળે તો વાયરલ જીવલેણ સાબિત થઇ શખે છે.