ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થયો છે ત્યારે બાયપાસ ચોકડીથી દહેગામ ચોકડી વચ્ચે એક અઠવાડિયામાં જ ૨ ટુ વ્હીલર વાહન ચાલકોના અકસ્માતે મોત થતા હવે લોકોમાં રોજ ફાટી નીકળ્યો છે ત્યારે બુલેટ ટ્રેનની કામગીરી નજીક ભારે વાહનોને પસાર કરવા ડાયવર્ઝન અપાય પરંતુ સ્પીડ બ્રેકરન લગાવવાના કારણે કે ટુ-વ્હીલર વાહન ચાલકને ટ્રેલર ચાલકે પાછળના ટાયરમાં અડફેટે લઈ અકસ્માત સર્જી મોત નિપજાવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
દહેગામ ચોકડી નજીક એલ એન્ડ ટીની ઘટના
ભરૂચના દહેગામ ચોકડી નજીક એલ એન્ડ ટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે અને કંપનીના વાહનો પસાર કરવા માટે દહેગામ ચોકડી નજીક જાહેર માર્ગ ઉપર થી જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ જાહેર માર્ગો ઉપરથી ભારે વાહનો સતત દોડતા રહ્યા છે અને આવું જ એક ભારે ટ્રેલર બુલેટ ટ્રેનની કામગીરી તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલરપુર ઝડપે હંકારી પાછળના ટાયરમાં એક ટુ-વ્હીલર વાહન ચાલકને અડફેટે લઈ તેને 50 ફૂટ દૂર સુધી ખેંચીને લઈ જતા તેને માથા અને પગ તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું અને અકસ્માતમાં ટ્રેલર ચાલક પોતાનું ટ્રેલર ઘટના સ્થળે મૂકી ભાગી ગયો હતો
બુલેટ ટ્રેનની કામગીરીને લઈ થઈ રહ્યા છે અકસ્માત
અકસ્માત બાદ ટુવિલર ચાલકનું મોત થયું હોવાના કારણે તેની ઓળખ કરવામાં આવતા તે નજીકની સન પ્લાઝા એપાર્ટમેન્ટનો રહીશ હોય અને તેનું નામ ફરદીલ ઈકબાલ મનસુરી ઉંમર વર્ષ 21 નો હોવાનું સામે આવ્યું હતું જેના કારણે તેના પરિવારજનોની શોધખોળ કરવામાં આવી હતી ફોર દિલ મનસુરી પોતાની ગાડી લઈ કોઈ કામ અર્થે બહાર નીકળ્યો હતો તે દરમિયાન દહેગામ ચોકડી નજીક બુલેટ ટ્રેનની કામગીરી નજીકથી ટ્રેલર પસાર થઈ રહ્યો હતો અને ટ્રેલર ચાલકે પોતાના હાથમાં રહેલું સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં ટુ-વ્હીલર વાહન ચાલકનું ઘટના સ્થળે મોત થયું હોવાનું સામે આવતા મૃતકના પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું હતું અને બુલેટ ટ્રેનની કામગીરી માટે ડાયવર્ઝન જે સ્થળે અપાયું હતું ત્યાં સ્પીડ બ્રેકર ન હોવાના કારણે ટ્રેલર ચાલકે ટુ-વ્હીલર વાહન ચાલકને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે આવનાર બે-ત્રણ દિવસમાં સ્પીડ બ્રેકર લગાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે
ટુ વ્હીલર વાહન ચાલકના મોત બાદ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરે સિક્યુરિટી ગાર્ડ મૂક્યા
દહેગામ ચોકડી નજીક બુલેટ ટ્રેન ની કામગીરી ચાલી રહી છે અને આ સ્થળે આડેધડ ભારે વાહનો પસાર થતા હોય છે અને ટુ-વ્હીલર વાહન ચાલકોને લઈ અકસ્માત સર્જી રહ્યા હોવાના આક્ષેપ સાથે બુલેટ ટ્રેનની કામગીરી માટે જે માર્ગને ડાઈવરજન અપાયું છે ત્યાં સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અકસ્માતમાં એક પરિવારે જુવાન જોધ દીકરો ગુમાવ્યો છે તાત્કાલિક ધોરણે સ્પીડ બ્રેકર લાગવા જોઈએ અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે અકસ્માતમાં મૃતકના પરિવારને સહાય આપવાની માંગ સાથે આંદોલનની ચીમકી પણ સામાજિક આગેવાન અબ્દુલ કામથીએ ઉચ્ચારી છે
બાયપાસ ચોકડી થી દહેગામ ચોકડી સુધી સંખ્યાબંધ ધાર્મિક સ્થળો શાળા અને કોલેજો હોવા છતાં સ્પીડ બ્રેકરનો અભાવ.
બાયપાસ ચોકડીથી દહેગામ ચોકડી સુધી સ્પીડ બ્રેકરના અભાવે એક જ અઠવાડિયામાં બે વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા છે અને આ રોડ ઉપર વીસીટી કોલેજ.મુનશી સ્કૂલ.ઇકરા સ્કૂલ. શહીદ અનેક હોસ્પિટલો અને ધાર્મિક સ્થળો આવેલા છે છતાં પણ આ માર્ગ ઉપર સ્પીડ બ્રેકરના અભાવે આડેધડ દોડતા ભારે વાહનોના કારણે ટુ-વ્હીલર્સ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આરટીઓની કામગીરી સામે પણ સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે