+

તમારા સૌ પર ઉમિયા માતાના આશિર્વાદ બન્યા રહે : પં. ધીરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. અમદાવાદમાં આવતીકાલથી તેમનો દિવ્ય દરબાર થવાનો છે. આજે તેઓ અંબાજી દર્શન કરવા ગયા હતા જે બાદ તેઓ ઉમિયા ધામ ખાતે પહોંચ્યાં હતા અહીં…

બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. અમદાવાદમાં આવતીકાલથી તેમનો દિવ્ય દરબાર થવાનો છે. આજે તેઓ અંબાજી દર્શન કરવા ગયા હતા જે બાદ તેઓ ઉમિયા ધામ ખાતે પહોંચ્યાં હતા અહીં તેમણે પુજન અર્ચન કર્યાં બાદ નાનું સંબોધન પણ કર્યું હતું. અહીંથી તેઓ ગાંધીનગરમાં દિવ્ય દરબાર ભરશે.

આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા ઉમિયા ધામ

ઉમિયાધામમાં પુજન અર્ચન કર્યાં બાદ અહીં નાનુ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, તમારા સૌ પર ઉમિયા માતાના આશિર્વાદ બન્યા રહે, પટેલ સમાજ સનાતનનો પ્રચાર કરે અને આવી રીતે હસતા રહો તેવી મંગલ કામના, અમે ઉમિયા માતાના ચરણોમાં બે કે ત્રણ દિવસની હનુમંત કથા સંભળાવીશું. તમારા પર બાગેશ્વર બાબાની કૃપા વરસી રહેતે તેવી મંગલ કામના.

અંબાજી મંદિરના કર્યાં દર્શન

અંબાજી મંદિરમાં પં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. અંબાજી મંદિર હવન શાળાના બ્રાહ્મણો દ્વારા તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટનાં અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું . તેમણે બપોરની રાજભોગ આરતીના દર્શન કર્યાં અને વિશેષ પુજા કરાવવામાં આવી હતી તેમજ કપૂર આરતી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : 75 વર્ષ પહેલા VUMMIDI ETHIRAJ એ બનાવ્યો હતો સેંગોલ, જાણો તેમણે શું કહ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter