+

Adani Vidyamandir : ભદ્રેશ્વરના 600 વિદ્યાર્થીઓએ 25,000 થી વધુ રોપાઓ વાવવાનો સંકલ્પ લીધો

Adani Vidyamandir : અદાણી વિદ્યામંદિર (Adani Vidyamandir) ભદ્રેશ્વરના 12મા વાર્ષિક દિવસ ‘ઉત્કર્ષ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. વાર્ષિકોત્સવને વિદ્યાર્થીઓએ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને સમર્પિત કર્યો. 600 વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષ…

Adani Vidyamandir : અદાણી વિદ્યામંદિર (Adani Vidyamandir) ભદ્રેશ્વરના 12મા વાર્ષિક દિવસ ‘ઉત્કર્ષ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. વાર્ષિકોત્સવને વિદ્યાર્થીઓએ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને સમર્પિત કર્યો. 600 વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષ દરમિયાન શાળાના પરિસરમાં અને બહાર દરિયાકિનારે મેન્ગ્રોવ સહિત 25,000 થી વધુ રોપાઓ વાવવાનો સંકલ્પ લીધો હતો.

‘ઉત્કર્ષ’ અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સાથે સુમેળમાં સાધવાના પાસાઓને સર્જનાત્મક રીતે પ્રકાશિત કર્યા

‘ઉત્કર્ષ’ અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સાથે સુમેળમાં સાધવાના પાસાઓને સર્જનાત્મક રીતે પ્રકાશિત કર્યા. તે પર્યાવરણ અને જળ સંરક્ષણ, સ્કીટ્સ, ગીતો અને કવિતાઓ પર કાર્યકારી મોડેલો દ્વારા તમામ 17 SDGSના સાર અને મહત્વને દર્શાવતું પ્લેટફોર્મ સમાન હતું. વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનાવવા મૂલ્યો આધારિત શિક્ષણ સહિત સંવેદનશીલ અને નિર્ણાયક બનવા SDGsનું શિક્ષણ આપવા ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યામંદિર કાર્યરત છે. વૈવિધ્યસભર પરંપરાઓ અને ઉજવણીઓ માટે પ્રખ્યાત કચ્છની ઇકોસિસ્ટમ ક્લાયમેટ ચેન્જની અસરોથી અલગ નથી. આ કાર્યક્રમની રૂપરેખા શિક્ષકો દ્વારા સુપેરે તૈયાર કરવામાં આવી હતી. તેમાં આમંત્રિત મહેમાનોને દરિયાકાંઠાની જૈવવિવિધતાને બચાવવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓની આ પ્રતિજ્ઞા પૃથ્વી પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે “વિદ્યાર્થીઓની આ પ્રતિજ્ઞા પૃથ્વી પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે. મને ગર્વ છે કે વિદ્યામંદિર આપણા ભવિષ્યના નેતાઓમાં મૂલ્યોનું સંવર્ધન કરી રહ્યું છે. “

રાષ્ટ્રના ઉત્કર્ષમાં મદદરૂપ

આ પ્રસંગના અતિથિ વિશેષ મુન્દ્રાના SDM શ્રી ચેતન મિસણે જણાવ્યું હતું કે “બાળકોનું ઉતકૃષ્ટ પ્રદર્શન જોઈને હું મંત્રમુગ્ધ છું. હું શાળાને ખૂબ અભિનંદન આપું છું અને આશા રાખું છું કે તે નિરંતર જ્ઞાનનો પ્રકાશ ફેલાવતી રહે.” કાર્યક્રમના મુખ્ય અતિથિ અદાણી ગ્રુપના CFO શ્રી જુગશિન્દર (‘રોબી’) સિંહ શાળાની અત્યાધુનિક સુવિધાઓ અને બાળકો દ્વારા ચર્ચાતા વિષયો પરના જ્ઞાનથી પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ ભૂલકાઓ સાથે વાર્તાલાપ કરીને હું અપાર આનંદનો અનુભવ કરું છું. મને ખાતરી છે કે દરેક તેમના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશે અને તેમના પરિવારો, સમુદાયો અને આપણા રાષ્ટ્રના ઉત્કર્ષમાં મદદરૂપ થશે.”

વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન

‘ઉત્કર્ષ 2024’માં કચ્છના આગેવાનો, માછીમાર સમુદાયના સભ્યો, વાલીગણ અને પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ AVMB 2012 થી કચ્છમાં ભદ્રેશ્વર અને તેની આસપાસના વંચિત સમુદાયોના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરતું આવ્યું છે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંલગ્ન AVMB ધોરણ 1 થી 10 સુધી મફત શિક્ષણ પ્રદાન કરે છે. જેમાં ટ્યુશન ફી, પાઠ્યપુસ્તકો, ગણવેશ, પૌષ્ટિક ભોજન અને સ્કૂલ બસ સેવા પણ પ્રદાન કરવામાં આવે છે. 2022માં તે NABET માન્યતા પ્રાપ્ત કરનાર ગુજરાતી માધ્યમની રાજ્યની પ્રથમ-GSEB સંલગ્ન શાળા બની. વંચિત બાળકોને શિક્ષિત કરવામાં અસાધારણ યોગદાન બદલ AVMB ને “એજ્યુકેશન એક્સેલન્સ – એમ્પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સ 2024” થી નવાજવામાં આવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશન વિશે

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.

આ પણ વાંચો—-AMBANI FAMILY : નીતા અંબાણીએ નૃત્ય સાથે કરી માતાજીની સ્તુતિ,જુઓ VIDEO

આ પણ વાંચો—KUTCH : ખાવડા ખાતે રીન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજ ઉત્પાદનનો પ્રારંભ

આ પણ વાંચો—ADANI WILMAR : કચ્છમાં પીવાના પાણીની અછતને દૂર કરવા અદાણીએ લીધો આ મહત્વનો નિર્ણય…

Whatsapp share
facebook twitter