અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પહેલી મેચ રમાઈ હતી. આ મેચમાં ભલે દર્શકોની સંખ્યા ઓછી હતી પણ જે લોકો મેચ નિહાળવા આવ્યા હતા તેઓ ખૂબ આનંદ માણતા જોવા મળ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે વર્લ્ડ કપની પ્રથમ મેચ શરૂ થઈ ત્યારે ઘણા ભારતીય ચાહકો મેચ જોવા માટે આવ્યા હતા. આ ચાહકોમાં ભારતીય ક્રિકેટ ટીમનો એક ચાહક ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. લોકો તેની સાથે ફોટોગ્રાફ્સ લેતા જોવા મળ્યા હતા. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ અરુણ હરિયાણી છે. ચાલો જાણીએ અરુણ વિશે કેટલીક વાતો વિશે…
અરૂણ હરિયાણીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાત કરી
ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન અરૂણ હરિયાણી પણ સ્ટેડિયમમાં મેચ નિહાળવા આવ્યો હતો. તેણે આ દરમિયાન બંને ટીમોને ચિયર અપ કરવા માટે બંને હાથોમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમનો ફ્લેગ બનાવડાવ્યો હતો. આ મેચ દરમિયાન અરૂણે ખાસ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તે અમદાવાદમાં યોજાતી દરેક મેચ નિહાળવા માટે આવે છે અને ટીમોને ચિયર અપ કરે છે. તેણે ખેલમહાકુંભને પણ સપોર્ટ કર્યો હતો.
View this post on Instagram
ડિપ્રેશનમાં ક્રિકેટ સહારો બની જાય છે
ભારતમાં ક્રિકેટને માત્ર રમત જ નહીં પણ તેની સાથે ફેન્સની લાગણીઓ પણ જોડાયેલી હોય છે. વર્લ્ડ કપની પહેલી મેચમાં આવો જ એક ફેન્સ જોવા મળ્યો હતો. અમે અહીં અરૂણ હરિયાણીની વાત કરી રહ્યા છીએ. અરુણ હરિયાણી (41) અમદાવાદના કુબેરનગરનો રહેવાસી છે. અરુણ હરિયાણીના પરિવારમાં માતા-પિતા, ચાર ભાઈઓ, એક બહેન, પત્ની અને એક પુત્રી છે. વર્ષ 2018 માં, તેને તેના કપડાના વ્યવસાયમાં મોટું નુકસાન થયું. આ પછી તેને ખૂબ જ ચિંતા થવા લાગી. તેને શાહુકાર તરફથી સતત ફોન આવવા લાગ્યા. આ દરમિયાન એક દિવસ જ્યારે અરુણ ટીવી પર મેચ જોઈ રહ્યો હતો ત્યારે તેણે સચિનના ફેન સુધીર અને ધોનીના ફેન રામબાબુને જોયા. આ સમય દરમિયાન અરુણને ક્રિકેટની લત લાગી ગઈ અને તે ધીરે ધીરે પોતાની સમસ્યાઓને ભૂલી જવા લાગ્યો.
View this post on Instagram
ખેલાડીને બદલે દેશ પસંદ કર્યો
આ પછી, અરુણે કોઈપણ ખેલાડીના પ્રશંસક બનવાને બદલે દેશ પસંદ કર્યો અને સમગ્ર ભારતીય ક્રિકેટ ટીમનો ચાહક બની ગયો. જ્યારે પણ ભારતીય ક્રિકેટ ટીમ મેચ રમવા અમદાવાદ આવતી ત્યારે અરુણ પણ ભારતને સપોર્ટ કરવા આવતો. આ સિવાય તેઓ ભારતને સમર્થન આપવા દિલ્હી, મુંબઈ, રાજકોટ, નાગપુર અને જયપુર પણ પહોંચ્યા હતા.
View this post on Instagram
પહેલા લોકો હસતા હતા, હવે ફોટા પડાવે છે
અરુણ કહે છે કે જ્યારે તેણે તેના કપાળ પર ભારતનું ટેટૂ અને તેની પીઠ પર એરફોર્સ અને નેવીના ટેટૂ કરાવ્યા, ત્યારે લોકો તેના પર હસવા લાગ્યા અને તેને પાગલ અને વિચિત્ર પણ કહેવા લાગ્યા. આ પછી, જ્યારે અરુણ હરિયાણી હાથમાં ત્રિરંગો લઈને મેદાનમાં પહોંચ્યો અને આખું શરીર તિરંગામાં રંગાયેલું હતું, ત્યારે બધા તેના વખાણ કરવા લાગ્યા. આ પછી લોકોએ તેની સાથે ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું અને ધીમે-ધીમે તેને પ્રસિદ્ધિ મળવા લાગી. જણાવી દઈએ કે અરુણ કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, યશ દલાલ વગેરેને પણ મળ્યો છે.
View this post on Instagram
મેચ જોવા માટે મળે છે પાસ
જ્યારે અરુણને ઘણી પ્રસિદ્ધિ મળી ત્યારે તેને ગુજરાત ટાઇટન્સ તરફથી સત્તાવાર ટી-શર્ટ મળી. આ પછી તેને આઈપીએલની તમામ મેચ જોવા માટે પાસ પણ મળવા લાગ્યા. આજે જ્યારે પણ અરુણ (અરુણ હરિયાણી) મેદાનમાં પહોંચે છે ત્યારે લોકો તેની સાથે ફોટોગ્રાફ્સ લે છે. આ સાથે આજે BCCI અને ICC બંનેએ પોતાના સોશિયલ મીડિયા પર અરુણનો ફોટો પોસ્ટ કર્યો છે. સ્વાભાવિક રીતે જ દરેક વ્યક્તિ રાષ્ટ્રીય ટીમના આટલા મોટા પ્રશંસકને પસંદ કરે છે. અરુણનું માનવું છે કે આ વખતે માત્ર ભારત જ વર્લ્ડ કપ જીતવા જઈ રહ્યું છે.
View this post on Instagram
ભારતની સિદ્ધિઓ પર તિરંગો લહેરાયો
જ્યારે પણ ભારત વિશ્વમાં કંઈક હાંસલ કરે છે, ત્યારે અરુણ ચોક્કસપણે ભારતીય ધ્વજ લહેરાવે છે. ચંદ્રયાન હોય કે એશિયા કપ, અરુણ ક્યારેય તિરંગો લહેરાવવાની કોઈ તક છોડતો નથી. આ સાથે ઘણા મીડિયા હાઉસે પણ અરુણની મુલાકાત લીધી છે.
આ પણ વાંચો – કોણ છે રચિન ? સચિન અને રાહુલ સાથે શું છે સંબંધ, જાણો
આ પણ વાંચો – World Cup : ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપ ફાઈનલનો લીધો બદલો, ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું
આ પણ વાંચો – World Cup : લાંબા અરસે અમદાવાદના સ્ટેડિયમમાં સાંભળવા મળ્યા સચીન..સચીન ના નારા…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે