+

અમરેલીની પાંચેય સીટ માટે ભાજપના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણીએ કરી આ આગાહી, હાર્દિક પટેલને આપી આ સલાહ, જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યાં છે. ગત ચૂંટણીમાં અમરેલીની પાંચેય વિધાનસભા બેઠક પર હારનો સામનો કર્યાં બાદ આ વખતે ભાજપ પાંચેય સીટ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.તેમણે જણાવ્યું કે, અમરેલીમાં ગયા વખત કરતા આ વખતે પરિવર્તન થશે, પાંચેય સીટો ભાજપ જીતી રહી છે. ગયા વખતે જે પરિસ્થિતિ હતી અને આ વખતે જે પરિસ્થિતિ હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યાં છે. ગત ચૂંટણીમાં અમરેલીની પાંચેય વિધાનસભા બેઠક પર હારનો સામનો કર્યાં બાદ આ વખતે ભાજપ પાંચેય સીટ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, અમરેલીમાં ગયા વખત કરતા આ વખતે પરિવર્તન થશે, પાંચેય સીટો ભાજપ જીતી રહી છે. ગયા વખતે જે પરિસ્થિતિ હતી અને આ વખતે જે પરિસ્થિતિ હતી અને આ વખતની પરિસ્થિતિમાં ખુબ મોટો તફાવત છે. ગયા વખતે એક બાજુથી પાસનું આંદોલન અને અમારા આંતરિક વિવાદો તેના પરિણામ સ્વરૂપ પાંચેય સીટો ગઈ હતી જ્યારે આ વખતે અમારી એકતા અને મોદીજીએ આવીને કરેલી અપીલ લોકોએ સ્વિકારી છે અને પાંચેય સીટો જીતીશું.
આ સિવાય તેમણે હાર્દિક પટેલને સલાહ આપવા મુદ્દે જણાવ્યું હતું કે, તેમણે કટ્ટરતાવાદ, જ્ઞાતિવાદ છોડવો જોઈએ અને હી ભાજપમાં આવ્યા છે તો રાષ્ટ્રવાદ અપનાવી કામ કરવુ જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter