+

Lok Sabha : NEET પરીક્ષાનો મુદ્દો સંસદમાં ગુંજ્યો, વિપક્ષી સાંસદોએ કર્યો હોબાળો

NEET Exam Issue : રાષ્ટ્રપતિના સંબોધન પર સંસદના બંને ગૃહોમાં આજથી ચર્ચા શરૂ થઈ રહી છે. NEET પેપર લીક મુદ્દે વિપક્ષે (opposition) લોકસભા અને રાજ્યસભા (Lok Sabha and Rajya Sabha)…

NEET Exam Issue : રાષ્ટ્રપતિના સંબોધન પર સંસદના બંને ગૃહોમાં આજથી ચર્ચા શરૂ થઈ રહી છે. NEET પેપર લીક મુદ્દે વિપક્ષે (opposition) લોકસભા અને રાજ્યસભા (Lok Sabha and Rajya Sabha) માં હંગામો મચાવ્યો હતો. વિપક્ષ આજે પેપર લીક મુદ્દે ચર્ચાની માંગ પર અડગ રહ્યો હતો. જ્યારે સરકાર વતી સુધાંશુ ત્રિવેદી રાજ્યસભામાં અને અનુરાગ ઠાકુર લોકસભામાં ચર્ચાની શરૂઆત કરશે. વળી, INDIA ગઠબંધનના સાંસદો આજે બંને ગૃહોમાં પેપર લીક પર ચર્ચાની માંગ કરી રહ્યા છે.

NEET પરીક્ષા પેપર લીક પર ચર્ચાની માંગણી

લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે આજે હંગામો શરૂ કરી દીધો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમની બેઠક પરથી ઉભા થયા અને પહેલા NEET પરીક્ષા પેપર લીક પર ચર્ચાની માંગણી કરી હતી. તેમણે સંસદની બહાર પણ આ જ માંગણી કરી હતી. સ્પીકર ઓમ બિરલાએ આગ્રહ કર્યો કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પહેલા ચર્ચા કરવામાં આવે. સંસદમાં હંગામાને જોતા સ્પીકરે કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

  • NEET પરીક્ષાનો મુદ્દો સંસદમાં ગાજ્યો
  • લોકસભામાં વિપક્ષી સાંસદોનો હોબાળો
  • લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત
  • પરીક્ષા મુદ્દે ચર્ચાની વિપક્ષની માગણી
  • રાહુલ ગાંધીએ નીટ મુદ્દે ચર્ચાની માગ કરી
  • સદનથી યુવાનોને સંદેશ જરૂરીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ શું કહ્યું?

આ પહેલા રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું, “અમે, વિપક્ષ અને સરકાર વતી, ભારતના વિદ્યાર્થીઓને સંયુક્ત સંદેશ આપવા માંગીએ છીએ કે અમે આને એક મહત્વપૂર્ણ મુદ્દો માનીએ છીએ.” તેથી અમે વિચાર્યું કે વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે આજે NEET પર ચર્ચા કરીશું.” બીજી તરફ રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી સાંસદો સાથે NEETનો મુદ્દો ઉઠાવ્યો અને ચર્ચાની માંગણી કરી.

સંસદની બહાર પણ રાહુલે કરી હતી આ જ માંગણી

અગાઉ, સંસદની બહાર રાહુલ ગાંધીએ કહ્યું, “ગઈકાલે તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક થઈ હતી અને તેમાં સર્વસંમતિ હતી કે આજે આપણે NEETના વિષય પર ચર્ચા કરવાની જરૂર છે. અમને લાગ્યું કે NEET પર અહીં ગૃહમાં ચર્ચા થવી જોઈએ. હું વડા પ્રધાનને વિનંતી કરું છું કે આ યુવાનોનો મામલો છે અને તેના પર યોગ્ય ચર્ચા થવી જોઈએ અને સંસદમાંથી આ સંદેશો જવો જોઈએ કે ભારત સરકાર અને વિપક્ષ એક સાથે વિદ્યાર્થીઓ વિશે વાત કરે છે.

રાજ્યસભામાં પણ NEET મુદ્દે ચર્ચાની માંગણી

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સાંસદોએ NEET અને NTA મુદ્દા પર લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા કરવા માટે સ્થગિત દરખાસ્તની નોટિસ આપી છે. કોંગ્રેસના રણજીત રંજન અને સૈયદ નાસિર હુસૈન સહિત વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ નિયમ 267 હેઠળ રાજ્યસભામાં ચર્ચાની માંગ કરી છે.

વિપક્ષી સાંસદો ઈચ્છે છે કે નિયમ 267 હેઠળ ગૃહની અન્ય કામગીરી સ્થગિત કરીને આ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહે છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત માળખાં પત્તાની જેમ તૂટી રહ્યા છે. આ માટે કેન્દ્રની મોદી સરકારનો ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારી જવાબદાર હોવાનો ખડગેએ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે દિલ્હી એરપોર્ટ (T1)ની છત પડી ગઈ છે. આ સિવાય જબલપુર એરપોર્ટની છત પડી, અયોધ્યાના નવા રસ્તાઓની હાલત ખરાબ છે.

આ પણ વાંચો – Asaduddin Owaisi Delhi Residence : ઓવૈસીના ઘર પર ફેંકાઈ શાહી, સાંસદે ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો – Video : કોના પર વાંધો ઉઠાવવો, કોના પર નહીં, સલાહ ન આપવી, દીપેન્દ્ર હુડ્ડા પર ગુસ્સે થયા ઓમ બિરલા…

Whatsapp share
facebook twitter