+

Maharashtra : Lonavala માં એક જ પરિવારના 5 લોકો પાણીમાં તણાયા, 2 ના મૃતદેહ મળ્યા…

મુંબઈને અડીને આવેલા લોનાવાલા (Lonavala)માં એક મોટો અકસ્માત થયો છે. અહીં ચોમાસાની રજાઓ માણવા ગયેલા એક જ પરિવારના પાંચ સભ્યો ધોધમાં તણાયા હતા. આ ધોધ ભુસી ડેમની પાછળ એક ટેકરી…

મુંબઈને અડીને આવેલા લોનાવાલા (Lonavala)માં એક મોટો અકસ્માત થયો છે. અહીં ચોમાસાની રજાઓ માણવા ગયેલા એક જ પરિવારના પાંચ સભ્યો ધોધમાં તણાયા હતા. આ ધોધ ભુસી ડેમની પાછળ એક ટેકરી પર બનાવવામાં આવ્યો હતો. આને રેલ્વે ધોધ કહેવાય છે અને આ પાણી ભુસી ડેમમાં પ્રવેશે છે.

2 મૃતદેહ મળી આવ્યા…

પાણીમાં ડૂબી ગયેલા પરિવારમાં 4 બાળકો અને એક મહિલાનો સમાવેશ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 2 મૃતદેહ મળી આવ્યા છે અને બાકીના 3 લોકોની શોધ ચાલી રહી છે. લોનાવાલા (Lonavala) શહેર પોલીસની ટીમ અને શિવ દુર્ગ બચાવ ટીમ ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. ભુસી ડેમ ઓવરફ્લો થતાની સાથે જ આ પ્રથમ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે.

જાણો ક્યાં રહેતો હતો પરિવાર…

પાણીમાં ડૂબી ગયેલો પરિવાર પુણે સૈયદ નગરનો રહેવાસી છે. આ માહિતી પુણેના SP પંકજ દેશમુખે આપી છે. મળી આવેલા મૃતદેહમાં મહિલાની ઓળખ શાહિના પરવીન તરીકે થઇ છે. તેની ઉંમર 40 વર્ષની આપ્સપાસ છે. બીજો જે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે તેની ઉંમર 13 વર્ષ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : Bihar ને વિશેષ દરજ્જો આપવાને લઈને ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, NEET વિશે પણ કહી આ વાત…

આ પણ વાંચો : Jharkhand : ભારે વરસાદના કારણે નિર્માણધીન બ્રિજ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં…

આ પણ વાંચો : UTTAR PRADESH માં 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ, યોગીનો મોટો નિર્ણય

Whatsapp share
facebook twitter