+

PM Modi : PM મોદી ગુજરાતના આ સ્થળે પર પ્રજાનું જીલશે અભિવાદન

PM Modi : ગુજરાતની લોકસભા (LOK SABHA ELECTION))ની સીટોને જીતવા માટે પીએમ મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. આજે PM મોદી (PM Modi )મધ્ય ગુજરાતના આણંદ, તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર,…

PM Modi : ગુજરાતની લોકસભા (LOK SABHA ELECTION))ની સીટોને જીતવા માટે પીએમ મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. આજે PM મોદી (PM Modi )મધ્ય ગુજરાતના આણંદ, તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.

 

આજે ચાર સભાને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી બે દિવસ માટે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં છે. . તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાજ્યભરના 11 લોકસભા મતવિસ્તારોને આવરી લેતા છ જાહેર સભાને સંબોધિત કરવાનો કાર્યક્રમ હતો આજે ચાર સભાને સંબોધશે. ત્યારે 1 મેના રોજ, જે ગુજરાતના સ્થાપના દિવસ હતો આ દિવસે પીએમ મોદીએ બે જાહેર સભાઓને સંબોધિત કરી હી. એક એક ડીસા, હિંમતનગર, સાબરકાંઠામાં. સભા યોજી હતી. આજે મોદી આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં પ્રચાર કરશે.

 

 

વિશ્વાસ સભાનું આયોજન

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભાને સંબોધશે. વિજય વિશ્વાસ સભા.. આણંદના મિતેષ પટેલ, ખેડાના દેવુસિંહ ચૌહાણ, તો ખંભાત વિધાનસભાના ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલ માટે તેઓ ભાજપને વોટ આપવા માટે અપીલ કરશે.બપોરે 12 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ લોકસભાને આવરી લઈને જન સભાને સંબોધશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારો માટે સુરેન્દ્રનગરના ત્રિમંદિર મેદાનની સામે વિજય વિશ્વાસ સભાનું આયોજન છે.વિજય વિશ્વાસ સભા અંતર્ગત જૂનાગઢ અને જામનગરમાં પણ PM મોદી સભા ગજવશે, બપોરે સવા બે વાગ્યે જુનાગઢમાં, તો સાંજે સવા ચાર વાગ્યે જામનગરમાં પ્રધાનમંત્રી મોટી જનમેદનીને સંબોધિત કરતા ચૂંટણી પ્રચાર કરશે.

2 મેના રોજ PM મોદીના કાર્યક્રમો

> સવારે – 10:00 કલાકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલ્લભ વિદ્યાનગરમાં પહોંચશે.
આણંદ અને ખેડા લોકસભા અને ખંભાત વિધાનસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે.

> બપોરે – 12:00 કલાકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર પહોંચશે.
સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે

> બપોરે – 02.15 કલાકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ પહોંચશે.
જૂનાગઢ, પોરબંદર, અમરેલી લોકસભા અને માણાવદર વિધાનસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે

> સાંજે – 04.15 કલાકે

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે અમદાવાદમાં પ્રચાર કરશે

તો બીજી તરફ આજે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે અમદાવાદમાં પ્રચાર કરશે. અમરાઈવાડીમાં કૉંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં જનસભાને સંબોધિત કરશે બપોરે 12 વાગ્યે કૉંગ્રેસ કાર્યાલયમાં પત્રકાર પરિષદ યોજવાનું પણ આયોજન છે.સૌરાષ્ટ્રના રાજવી પરિવારોની આજે રાજકોટમાં પ્રેસ કોન્ફ્રેન્સ યોજશે. રાજકોટના રાજવી માધાતાસિંહ જાડેજા સહિત સૌરાષ્ટ્રના રાજવી પરિવારો ક્ષત્રિય આંદોલનને લઈને પત્રકાર પરિષદ કરશે.

આ પણ  વાંચો- PM Modi At Banaskantha: વડાપ્રધાન Narendra Modi નો Banaskantha માં પ્રચંડ પ્રચાર

આ પણ  વાંચો- PM MODI આજે રાત્રે ગાંધીનગરમાં લેશે ક્લાસ…!

આ પણ  વાંચો- Sabarkantha થી PM મોદી – પેઢીઓ અને સદીઓ બદલાઈ પણ સાબરકાંઠાનો પ્રેમ મારા પર એવો ને એવો જ રહ્યો

 

Whatsapp share
facebook twitter