+

ભારતના નંબર વન દુશ્મનનો ખાત્મો, Pakistan માં અજાણ્યા લોકોએ મારી ગોળી…

ભારતમાં આતંકવાદી હુમલા કરાવતા દુશ્મનોને એક પછી એક ખતમ કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, ભારતનો અન્ય એક દુશ્મન માર્યો ગયો છે, જેણે 2015 માં ભારતના પંજાબમાં ગુરુદાસપુર આતંકવાદી હુમલાની…
ભારતમાં આતંકવાદી હુમલા કરાવતા દુશ્મનોને એક પછી એક ખતમ કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, ભારતનો અન્ય એક દુશ્મન માર્યો ગયો છે, જેણે 2015 માં ભારતના પંજાબમાં ગુરુદાસપુર આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી. તેનું નામ અલી રઝા છે. તે ISI અધિકારી હતો અને હાલમાં પાકિસ્તાન (Pakistan)ના સિંધ પ્રાંતમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CDT)માં પોસ્ટેડ હતો. ગયા રવિવારે કરાચીમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
રઝા 27 જુલાઈ 2015 ના રોજ ગુરદાસપુર, ભારતના પંજાબમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતો, આ હુમલાનું કાવતરું ઘડવામાં તેની મુખ્ય ભૂમિકા હતી. આ હુમલામાં ચાર સુરક્ષાકર્મીઓ સહિત 7 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાને કારણે ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો.

કેવી રીતે થયો હુમલો?

તમને જણાવી દઈએ કે 27 જુલાઈ, 2015 ના રોજ સેનાની વર્દી પહેરેલા ત્રણ હથિયારબંધ આતંકવાદીઓએ પંજાબના ગુરદાસપુરના દીનાનગરમાં ઘાતક હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ પહેલા કારને હાઇજેક કરી અને તેમાં મુસાફરી કરી રહેલા કમલજીત સિંહને ગોળી મારી દીધી. આ પછી તેઓએ દીનાનગર બસ સ્ટેન્ડની આસપાસ ગોળીબાર કર્યો અને બમિયાલથી આવતી પંજાબ રોડવેઝની બસને નિશાન બનાવી. આ પછી તેઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો જ્યાં ફરજ પરના ગાર્ડ અને કોન્સ્ટેબલનું મોત થયું. SHO મુખત્યાર સિંહ પણ ઘાયલ થયા હતા.

હોસ્પિટલમાં પણ કર્યો હતો હુમલો…

આતંકવાદીઓ અહીંથી ન અટક્યા, તેઓએ નજીકની હોસ્પિટલ પર હુમલો કર્યો અને ત્રણ દર્દીઓને ગોળી મારી દીધી, ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશનની પાછળ આવેલા પંજાબ હોમગાર્ડ ઓફિસમાં ગયા, જ્યાં તેઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ત્રણ હોમગાર્ડ અધિકારીઓને મારી નાખ્યા. આ આતંકવાદી હુમલામાં પોલીસ અધિક્ષક બલજીત સિંહ ઓપરેશનમાં શહીદ થયા હતા.

હુમલાખોરની ઓળખ થઈ નથી…

તમને જણાવી દઈએ કે અલી રઝાની હત્યા કરનાર વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. હુમલાખોર હજુ ફરાર છે. પાકિસ્તાની (Pakistan) અધિકારીઓ તેને શોધી રહ્યા છે.
Whatsapp share
facebook twitter