NEPAL : નેપાળમાંથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળમાં વધુ એક વખત કુદરતી આપદાએ આતંક મચાવ્યો છે. નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલના કારણે તબાહી આવી છે. છેલ્લા 36 કલાકમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકો હજુ પણ ગુમ છે. ભારે વરસાદને કારણે બાગમતી સહિત અન્ય નદીઓ પૂર જોશમાં છે. છેલ્લા 2 દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે અહીં ભૂસ્ખલન અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે.
NEPAL માં ફરી આવી પ્રાકૃતિક આપદા
વરસાદની તબાહીના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકો તેનાથી પ્રભાવિત થયા છે. મળી રહેલી માહિતીના અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે ત્યારે આ સિવાય નવ લોકો ગુમ છે, જેમની ડિઝાસ્ટર ટીમ શોધ કરી રહી છે. પોલીસ ગુમ થયેલા લોકોને શોધવા માટે અન્ય એજન્સીઓ અને સ્થાનિક લોકો સાથે મળીને કામ કરી રહી છે. અહીં, બાંગ્લાદેશના નીચલા ભાગોમાં પણ પૂરને કારણે ઘણું નુકસાન થયું છે અને લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા છે.
વરસાદ અને લેન્ડ સ્લાઇડની તબાહી
આ પણ વાંચો : Viral Video : અંતરિક્ષથી પૃથ્વીના અદ્ભુત ‘Light Show’ ની જુઓ એક ઝલક