Kupwara : કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠના બીજા જ દિવસે દુશ્મન દેશ પાકિસ્તાને નાપાક કૃત્ય કર્યું છે. પાકિસ્તાનના આતંકવાદીઓએ ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. શનિવારે સવારે કુપવાડા ( Kupwara) ના કુમકરી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. આતંકીઓની ગોળીઓથી સેનાના ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લગભગ 8 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર
આ વિસ્તારમાં લગભગ 8 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર છે. પોલીસ અને સેનાના જવાનોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ડ્રોન અને હેલિકોપ્ટર વડે વિસ્તારના દરેક ખૂણે ખૂણે સર્ચ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે કુપવાડામાં છેલ્લા 5 દિવસથી આતંકીઓ વિરુદ્ધ ભારતીય સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે અને 3 દિવસમાં બીજી વખત કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. ત્રણ દિવસ પહેલા સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. તે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
23 જુલાઈના રોજ એક આતંકવાદી માર્યો ગયો હતો
તમને જણાવી દઈએ કે 23 જુલાઈના રોજ પણ કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે સુરક્ષાદળોએ એક આતંકીને પણ માર્યો હતો. આ એન્કાઉન્ટર જિલ્લાના લોલાબ વિસ્તારમાં ત્રિમુખા ટોપ પાસે થયું હતું. ગોળીબારમાં નોન-કમિશન્ડ ઓફિસર દિલાવર સિંહ ઘાયલ થયા હતા, જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
Encounter between Army troops and terrorists are on in the forest areas along the LoC in the Macchil sector of Kupwara. More details awaited: Defence officials
— ANI (@ANI) July 27, 2024
અત્યાર સુધીમાં 13 જવાનો શહીદ
લાન્સ નાઈક સુભાષ કુમાર મંગળવારે જ પૂંચમાં એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા. 23 જુલાઈના રોજ પણ સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ વિસ્તારને ઘેરી લેવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનાના 27 દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં 8 આતંકી હુમલા થયા છે, જેમાં અત્યાર સુધીમાં 13 જવાનો શહીદ થયા છે. ત્યાં 12 આતંકવાદીઓ માર્યા ગયા છે.
લગભગ 50 આતંકવાદીઓ ભારતમાં ઘૂસ્યા હોવાના ઈનપુટ
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાને પાકિસ્તાન તરફથી લગભગ 50 આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાના ઈનપુટ મળ્યા છે. આતંકવાદીઓ રાજ્યના પહાડી વિસ્તારોમાં છુપાયેલા છે. આ માહિતી પર એક્શન મોડમાં આવતા, ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં લગભગ 500 પેરા કમાન્ડો તૈનાત કર્યા છે, જેઓ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
આતંકીઓ સેનાના જવાનોને નિશાન બનાવી રહ્યા છે
આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાએ પોતાના સૈનિકોને ગુમાવ્યા છે. ત્યાં આતંકીઓ પણ માર્યા ગયા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આતંકીઓ સેનાના જવાનોને નિશાન બનાવી રહ્યા છે. 8 જુલાઈના રોજ કઠુઆમાં સેનાની ટ્રક પર હુમલો થયો હતો, જેમાં 5 જવાનો શહીદ થયા હતા.
આ પણ વાંચો—– Ladakh ની ભૂમિ પરથી પીએમ મોદીએ પાકિસ્તાનને….