+

Surat : પ્રેમિકાએ ફરિયાદ કરતાં યુવકે મિત્રના ઘરે જઈ ખાધો ગળા ફાંસો

પ્રેમિકાએ ફરિયાદ કરતાં યુવકનો આપઘાત સુરતના વરાછામાં યુવકે ગળે ફાંસો ખાધો ભાવનગરમાં રહેતી પ્રેમિકાએ કરી હતી ફરિયાદ મિત્રના ઘરમાં જઈ યુવકે ગળે ફાંસો ખાધો પોલીસે આપઘાત અંગે વધુ તપાસ હાથ…

પ્રેમિકાએ ફરિયાદ કરતાં યુવકનો આપઘાત
સુરતના વરાછામાં યુવકે ગળે ફાંસો ખાધો
ભાવનગરમાં રહેતી પ્રેમિકાએ કરી હતી ફરિયાદ
મિત્રના ઘરમાં જઈ યુવકે ગળે ફાંસો ખાધો
પોલીસે આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી

 

 

સુરતમાં આપઘાતની ઘટના સામે આવી છે ત્યારે વરાછા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગર ખાતે રહેતી પ્રેમિકાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સુરતમાં યુવકે ગળાફાંસો ખાધો હતો. પુત્રના મોબાઈલ ઉપર આત્મહત્યા કરવા જાઉં છું નો મેસેજ કરી મિત્રના ઘરે યુવકે ગળાફાંસો ખાધો હતો.

સુરતના પુણાગામ ખાતે રહેતા યુવાને વરાછા ખાતે રહેતા તેના મિત્રના ઘરે જઈ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. જોકે ભાવનગર ખાતે રહેતી પરિણીતા પ્રમિકાએ તેની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોધાવતા ટેન્શનમાં તેને આ પગલું ભર્યું હતું. પુણાગામમાં સિલ્વર ચોક પાસે રહેતો 41 વર્ષીય પ્રફુલ કોલડિયાએ ગુરુવારે સાંજે વરાછા ખાતે ભગીરથ સોસાયટીમાં રહેતો તેનો રત્નકલાકાર મિત્રના ઘરે જઈને પંખાના હુક સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. બાદમાં મિત્ર ઘરે આવ્યો ત્યારે પ્રફુલને ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોઈ ચોકી ઉઠયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે પ્રફુલ મુળ અમરેલી જીલ્લામાં જાફરાબાદ વતની હતો. જોકે તેનો ભાવનગર ખાતે રહેતી કોઈ પરણીત મહિલા સાથે પ્રેમ સબંધ હતો. જોકે પરણીત પ્રેમિકાએે તેની વિરુધ્ધ ભાવનગરમાં મહુવામાં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલી હતી.જેથી અઠવાડી પહેલા તે પોલીસ સુરત ખાતે તેના ઘરે આવીને નોટીસ આપીને જતા રહ્યા હતા. આવા સંજોગોમાં તે માનસિક તાણ અને સમાજમાં બદનામ કરવાથી તેણે આ પગલુ ભર્યુ હતુ. જોકે તેણે મોબાઈલ ઉપર વિડીયો બનાવ્યો હતો કે હુ મરી જાઉં છું. બાદમાં તેણે આપઘાત કર્યો હતો. મૃતકને બે સંતાન છે. તે કાર લે-વેચ ધંધા સાથે સંકળાયેલો હતો. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

આ  પણ  વાંચોભાવનગરના હિરાના ધંધાર્થીએ ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યુ

Whatsapp share
facebook twitter