ભારત (india) અને કેનેડા (canada) વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને બંને દેશોના સંબંધોમાં કડવાશ ઝડપથી વધી રહી છે. જેની પાછળ ખાલિસ્તાનની માંગણી કરી રહેલા વિરોધ પ્રદર્શન અને ખાલિસ્તાની સમર્થકો છે. તાજેતરના સમયમાં જ્યારે કેનેડાની ધરતી પર ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓના કાવતરાનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે કેનેડાએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર ની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે. 10 લાખનું જેના પર ઇનામ છે તે ખાલિસ્તાની ટાઈગર ફોર્સ આતંકવાદી નિજ્જરની આ વર્ષે જૂનમાં હત્યા કરવામાં આવી હતી.