+

જાણો કયા ગ્રહો આ જૂન માસમાં રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા છે

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તન અથવા ગોચરને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ તમામ 12 રાશિઓના જાતકો પર જોવા મળે છે. તેનો સારો કે ખરાબ કોઈપણ પ્રકારનો પ્રભાવ હોઇ શકે છે. વર્ષનો છઠ્ઠો મહિનો જૂન શરૂ થવાની તૈયારીમાં છે. આ વખતે જૂન મહિનામાં કેટલાક ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા છે. ચાલો જાણીએ કે જૂન મહિનામાં કયા ગ્રહો રાશિ
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તન અથવા ગોચરને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ તમામ 12 રાશિઓના જાતકો પર જોવા મળે છે. તેનો સારો કે ખરાબ કોઈપણ પ્રકારનો પ્રભાવ હોઇ શકે છે. વર્ષનો છઠ્ઠો મહિનો જૂન શરૂ થવાની તૈયારીમાં છે. આ વખતે જૂન મહિનામાં કેટલાક ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા છે. ચાલો જાણીએ કે જૂન મહિનામાં કયા ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે.

જૂન મહિનામાં આ પાંચ ગ્રહો બદલશે રાશિ 
જૂન મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ જૂન મહિનામાં 5 મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. અને ગ્રહોના રાશિ પરિવર્તનની અસર અન્ય રાશિના જાતકો ઉપર પણ જોવા મળશે. આવો જાણીએ કયો ગ્રહ ક્યારે રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. 
મંગળ ગ્રહ  2 જૂન, 2022
જૂનના બીજા દિવસે એટલે કે 2 જૂને મંગળ પોતાની રાશિ બદલશે. આ દિવસે મંગળ ગ્રહ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે  જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને મહેનત, શૌર્ય, શક્તિ,સાહસ અને  પરાક્રમનો કારક માનવામાં આવે છે.
3 જૂને બુધ વક્રી થશે
2 જૂને મંગળના ગોચર બાદ 3 જૂને બુધ ગ્રહ વક્રી થઇ રહ્યો છે. 3 જૂને બુધ ગ્રહ વૃષભ રાશિમાં વક્રી થશે. જ્યારે કોઈ પણ ગ્રહ વક્રી થાય ત્યાર તે સીધો ચાલવાની જગ્યાએ ઉલટી દિશામાં ચાલે છે. જો વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ બળવાન હોય તો તે વ્યક્તિ શિક્ષણ, કરિયર, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ કરે  છે. કુંડળીમાં બુધ ગ્રહને વાણી, બુદ્ધિ, વિવેક અને નિર્ણય ક્ષમતાનો કારક માનવામાં આવે છે. 
15 જૂને સૂર્ય ગોચર થશે 
15મી જૂને ગ્રહોના રાજા સૂર્ય ગોચર થવા જઈ રહ્યા છે. આ દરમિયાન સૂર્યદેવ  વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોય છે તેને માન-સન્માન અને કીર્તિ મળે છે. જ્યારે સૂર્ય નબળો હોવા પર વ્યક્તિના સ્વાસ્થ્ય,પ્રતિષ્ઠા અને તેજ પર નકારાત્મક અસર પડે છે.
ગુરુનું ગોચર 20 જૂને થશે
20મી જૂને ગુરુ એટલે કે બૃહશપતિ કુંભ રાશિમાં વક્રી થશે. ગુરુ ગ્રહને ધન, વૈભવ, દામ્પત્ય જીવન, સંતાન અને શિક્ષણ વગેરેનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં ગુરુ બળવાન હોય ત્યારે વ્યક્તિને તમામ કાર્યોમાં સફળતા મળે છે. 

શુક્ર ગ્રહ ગોચર 22 જૂન
જૂનમાં પાંચમો ગ્રહ જે ગોચર થવા જઇ રહ્યો છે તે છે શુક્ર.જે  22 જૂને મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે.આ ગ્રહ ભૌતિક સુખોનો કારક માનવામાં આવે છે. જો તે નબળો હોય તો વ્યક્તિ આર્થિક તંગીથી ઘેરાઇ જાય છે. જ્યારે શુક્ર બળવાન હોવા પર  વ્યક્તિને સુખ, સંપતિ પ્રાપ્ત થાય છે, અને તેના ધન અને કિર્તીમાં વધારો થાય છે.
Whatsapp share
facebook twitter