આવતીકાલે દ્વારકાધીશના જન્મોત્સવની દ્વારકામાં ઉજવણી થનાર છે ત્યારે દ્વારકામાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં મોટી સંખ્યામાં યાત્રિકો આવી પહોંચ્યા છે. ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને લઈ યાત્રિકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો જોવા મળી રહ્યા છે પવિત્ર ગોમતીમાં સ્નાન કરી ભક્તો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad : અમદાવાદના હેરિટેજ સમા એલિસબ્રિજની દયનિય હાલત