+

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત, શું પુતિનનો છે હાથ? તપાસ શરૂ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કી (Volodymyr Zelenskyy) કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝેલેંસ્કીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ આવી નથી. ઝેલેન્સકીના પ્રવક્તા સેરહી ન્યાકીફોરોવે 15 સપ્ટેમ્બરે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની કાર સાથે એક કાર અથડાઈ હતી.  યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, એક મોટા સમાચાર છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલà«
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કી (Volodymyr Zelenskyy) કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝેલેંસ્કીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ આવી નથી. ઝેલેન્સકીના પ્રવક્તા સેરહી ન્યાકીફોરોવે 15 સપ્ટેમ્બરે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની કાર સાથે એક કાર અથડાઈ હતી.  
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, એક મોટા સમાચાર છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કીની કારનો અકસ્માત થયો છે. અકસ્માતમાં તે ઈજાગ્રસ્ત થયા છે. જોકે, કોઈ ગંભીર ઈજાના અહેવાલ નથી. ઝેલેંસ્કીના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીના પ્રવક્તા સેરહી ન્યાકીફોરોવે ગુરુવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની કાર અને મોટરસાઈકલ સાથે એક કાર અથડાઈ હતી. દરમિયાન, એક અગ્રણી યુક્રેનિયન ન્યૂઝ પોર્ટલ અનુસાર, ડૉક્ટરે અકસ્માત પછી ઝેલેંસ્કીની તપાસ કરી. તપાસ બાદ તેમને કહેવામાં આવ્યું કે તેમને ગંભીર ઈજા થઈ નથી. ડૉક્ટરોએ ઝેલેંસ્કીની સાથે ડ્રાઇવરને પણ તબીબી સહાય આપી અને તેને એમ્બ્યુલન્સમાં સ્થાનાંતરિત કર્યા. 


મહત્વનું છે કે, રાષ્ટ્રપતિનો કાફલો રાજધાની કિવમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે યુક્રેને રશિયાને મોટો ઝટકો આપતા ખાર્કિવ ક્ષેત્રના મોટા ભાગને પરત લઈ લીધો છે. અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ ખાર્કિવના ઇઝિયમ શહેરની મુલાકાત લીધા પછી કિવ જઈ રહ્યા હતા. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ પ્રકારની કોઇ પણ ઘટના જ્યારે ઘટે છે ત્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર આંકળી ચીંધાય તો નવાઈ નથી. જોકે, એવા કોઇ સમાચાર સામે આવ્યા નથી કે આ ઘટના પાછળ પુતિનનો હાથ છે. 
દુર્ઘટના બાદ તુરંત જ તેમના રાત્રિના ટેલિવિઝન સંબોધનમાં, ઝેલેન્સકીએ જાણ કરી કે તે હમણાં જ ખાર્કિવની આસપાસના વિસ્તારમાંથી પાછા ફર્યા હતા અને રશિયન સૈનિકોને દૂર કરવા માટે વળતો હુમલો કર્યા પછી લગભગ સમગ્ર વિસ્તાર પર કબજો કરી લેવામાં આવ્યો હતો. ઝેલેન્સકીએ કહ્યું કે, “તે અમારા સૈનિકોની અભૂતપૂર્વ હિલચાલ હતી – યુક્રેનિયનો ફરી એક વખત તે કરવા માટે વ્યવસ્થાપિત થયા જે ઘણા લોકો માટે અશક્ય હતું.”
Whatsapp share
facebook twitter