- ટેરર ફંડિંગને લઈને NIA ની મોટી કાર્યવાહી
- jammu-kashmir અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં દરોડા
- દરોડા દરમિયાન મહારાષ્ટ્રથી બે લોકોની કરી અટકાયત
NIA એ દેશમાં5 રાજ્યોમાં 22 સ્થળો પર ટેરર ફંડિંગને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે, કહેવાય છે કે જમ્મુ-કાશ્મીર (jammu-kashmir) અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. NIA એ એક સાથે લગભગ 22 સ્થળો પર દરોડા પાડ્યા છે અને ટેરર ફંડિંગને લઈને મોટી કાર્યવાહી કરી રહી છે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા મામલામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
#WATCH | Maharashtra: NIA raids a homeopathy clinic in Malegaon, in a terror conspiracy case.
National Investigation Agency is carrying out searches at 22 locations in five states, including Maharashtra. pic.twitter.com/v0cU7sQLWZ
— ANI (@ANI) October 5, 2024
કેટલાક લોકોની અટકાયત…
તે જ સમયે, NIA એ મહારાષ્ટ્રમાં દરોડા પાડી રહી છે, મહારાષ્ટ્રના જાલનામાંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે, એક ઔરંગાબાદમાંથી, એક માલેગાંવથી, આ બધા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. સંભાજીનગર, જાલના અને માલેગાંવ નજીક દરોડા દરમિયાન કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. શનિવારે વહેલી સવારે NIA ની અલગ-અલગ ટીમોએ અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી હાથ ધરી હતી.
#WATCH | National Investigation Agency (NIA) is conducting raids in J&K, Maharashtra, UP, Assam and Delhi in the case related to activities of the Jaish-e-Mohammed terror outfit group.
(Visuals from Baramulla of Jammu and Kashmir) pic.twitter.com/AX81wphP1h
— ANI (@ANI) October 5, 2024
આ પણ વાંચો : Haryana માં ભાજપ-કોંગ્રેસ આમને સામને, CM બનવાની લાગી હોડ…
જાલનામાં સવારે 4 વાગ્યાથી ઓપરેશન શરૂ…
NIA અને એન્ટી ટેરરિઝમ સ્કવોડે સવારે 4 વાગ્યાથી જ જાલનામાં ઓપરેશન શરૂ કર્યું હતું, શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ જાલના ઉપરાંત છત્રપતિ સંભાજીનગર, માલેગાંવમાં પણ ચાલી રહી છે.
આ પણ વાંચો : Mumbai : NCP-અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની ક્રૂર હત્યા, હત્યારો ફરાર