+

સુરક્ષિત ગણાતા Jammu Regionમાં કેમ આતંકી હુમલા વધ્યા?

જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી હુમલા વધવાને કારણે સુરક્ષા એજન્સીઓ માટે પડકારો વધી ગયા 75 દિવસમાં 14 જવાન શહીદ થયા જ્યારે 7 આતંકવાદીઓ માર્યા ગયા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ તેમની રણનીતિ બદલી કેન્દ્ર સરકાર…
  • જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી હુમલા વધવાને કારણે સુરક્ષા એજન્સીઓ માટે પડકારો વધી ગયા
  • 75 દિવસમાં 14 જવાન શહીદ થયા જ્યારે 7 આતંકવાદીઓ માર્યા ગયા
  • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ તેમની રણનીતિ બદલી
  • કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળોએ નવી રણનીતિ બનાવવી પડશે

Jammu Region : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ તેમની રણનીતિ બદલી છે. હવે ઘાટીની જગ્યાએ જમ્મુ ડિવિઝન ( Jammu Region)માં હુમલા વધી ગયા છે અને જવાનોની શહાદત પણ વધી છે. તેમાં કોઈ શંકા નથી કે સેનાએ બહાદુરીનું પ્રદર્શન કરીને આતંકવાદીઓને ઠાર કર્યા છે. પરંતુ સામાન્ય રીતે સુરક્ષિત ગણાતા જમ્મુમાં હુમલામાં વધારો દર્શાવે છે કે કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળોએ નવી રણનીતિ બનાવવી પડશે. 13થી 14 સપ્ટેમ્બરની વચ્ચે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ અને બારામુલ્લામાં આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કિશ્તવાડમાં આ ઓપરેશનમાં બે જવાનો શહીદ થયા છે, જ્યારે બારામુલ્લામાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને 3 આતંકીને ઠાર કરાયા છે

14 જવાન શહીદ થયા જ્યારે 7 આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુમાં જૂનથી 14 સપ્ટેમ્બર 2024 સુધીના આતંકવાદી હુમલાઓ પર નજર કરીએ તો 15 દિવસમાં 12 હુમલા થયા છે. આ હુમલાઓમાં 14 જવાન શહીદ થયા છે, જ્યારે 7 આતંકવાદીઓ માર્યા ગયા છે. સ્વાભાવિક રીતે જ સુરક્ષા એજન્સીઓ માટે આ ચિંતાનો વિષય છે. 2008 પછી આ પ્રથમ વખત છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં હુમલાઓ સતત વધી રહ્યા છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આતંકવાદીઓની બદલાયેલી વ્યૂહરચના પર નિર્ણાયક નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. દર વખતે આતંકવાદીઓ હુમલા કરીને ગાયબ થઈ રહ્યા છે. જંગલોમાં આતંકવાદીઓની હાજરી લોકોને પરેશાન કરી રહી છે.

આ પણ વાંચો–Jammu-Kashmir : આતંકીઓ સામે એન્કાઉન્ટરમાં સેનાના 2 જવાન શહીદ

જમ્મુ ડિવિઝનમાં હુમલા વધ્યા

  •   13 સપ્ટેમ્બરે કિશ્તવાડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે જવાન શહીદ થયા હતા અને બે ઘાયલ થયા હતા.
  • 8 સપ્ટેમ્બરે સેનાએ લામ અને નૌશેરામાં બે આતંકીઓને ઠાર કર્યા. મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.
  • 29 ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.
  • 24 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો.
  • 13 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે સેનાની મોટી અથડામણ થઈ હતી. આ ઓપરેશન ચાર દિવસથી વધુ ચાલ્યું હતું. અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન અને એક નાગરિક શહીદ થયા છે.
  •  27 જુલાઈના રોજ જમ્મુ-કાશ્મીરના કુપવાડાના માછિલ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. જો કે આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો હતો.
  • 22 જુલાઈના રોજ, રાજૌરીના ગુંડા ક્વાસમાં શૌર્ય ચક્રથી સન્માનિત બીડીસી સભ્યના ઘર પર આતંકવાદીઓએ હુમલો કર્યો. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો.
  • 16 જુલાઈએ ડોડાના જંગલોમાં આતંકીઓએ સેના પર સતત હુમલો કર્યો. આ હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા.
  • 8 જુલાઈના રોજ કઠુઆ આતંકી હુમલામાં 5 જવાનો શહીદ થયા હતા.
  • 7 જુલાઈના રોજ રાજૌરી જિલ્લામાં એક સુરક્ષા ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો.
  • 11-12 જૂનના રોજ ડોડા અને ભદરવાહમાં પોલીસ અને સેનાના કામચલાઉ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સાત જવાનો ઘાયલ થયા હતા.
  • 9 જૂનના રોજ રિયાસીના શિવખોડી ખાતે પેસેન્જર બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 10 મુસાફરોના મોત થયા હતા અને 40 ઘાયલ થયા હતા.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી

નરેન્દ્ર મોદી 2014માં સત્તામાં આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં રાજકારણ બદલાયું છે. વાતાવરણ બદલાયું છે. કલમ 370 નાબૂદ કર્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, પરંતુ જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી હુમલા વધવાને કારણે સુરક્ષા એજન્સીઓ માટે પડકારો વધી ગયા છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં યોજાઈ હતી અને હવે 10 વર્ષ બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. કદાચ આ જ કારણ છે કે આતંકવાદીઓ સતત હુમલાની યોજના બનાવી રહ્યા છે. રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનમાં 17 સપ્ટેમ્બરે મતદાન થશે.

આ પણ વાંચો–Baramullaમાં 3 આતંકી ઠાર, કિશ્તવાડમાં JCO સહિત બે જવાન શહીદ

Whatsapp share
facebook twitter