- ઈઝરાયેલના ભયાનક હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનો ખાતમો
- યાહ્યા સિનવારનું ઈઝરાયેલી હુમલામાં મૃત્યુ
- ઈઝરાયેલે 7 ઓક્ટોબરનો બદલો લીધો
Hamas Chief Yahya Sinwar Killed : નસરાલ્લાહ બાદ ઇઝરાયલે તેના વધુ એક દુશ્મનને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે. ગુરુવારે ગાઝા (Gaza) માં એક ઓપરેશન દરમિયાન ઈઝરાયેલની સેનાએ તેને મારી નાખ્યો હતો. ઈઝરાયેલના PM નેતન્યાહુએ એક વીડિયો સંદેશ જારી કરીને હમાસ ચીફ યાહ્યા સિનવાર (Yahya Sinwar) ના મૃત્યુની પુષ્ટિ કરી છે. જુલાઈમાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ સિનવાર હમાસના નવા નેતા બન્યા હતા. સિનવારના મોત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
અમેરિકા અને દુનિયા માટે સારો દિવસ : જો બાઈડેન
જો બાઈડેને કહ્યું છે કે, ઇઝરાયલી સૈનિકોના હુમલામાં હમાસના નેતા યાહ્યા સિનવરની હત્યા એ ઇઝરાયલ, અમેરિકા અને દુનિયા માટે સારા દિવસ છે. બાઈડેને કહ્યું કે, સિનવારનું મૃત્યુ હમાસ માટે ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાની અને ગાઝામાં એક વર્ષ સુધી ચાલેલા યુદ્ધને સમાપ્ત કરવાની તક છે. જો બાઈડેને કહ્યું કે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પરના હુમલાના માસ્ટરમાઈન્ડનું મોત ફરી એકવાર સાબિત કરે છે કે દુનિયામાં ક્યાંય પણ કોઈ આતંકવાદી ન્યાયથી બચી શકશે નહીં, પછી ભલે તે ગમે તેટલો સમય લે. બાઈડેને કહ્યું કે, તેઓ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત અન્ય ઇઝરાયેલી નેતાઓ સાથે વાત કરશે અને અભિનંદન આપશે. બાઈડેને એમ પણ કહ્યું હતું કે તેઓ બંધકોને તેમના પરિવારોને પરત કરવા અને આ યુદ્ધને કાયમ માટે સમાપ્ત કરવાની રીતો પર ચર્ચા કરશે. બાઈડેને આ ઘટનાની તુલના અલ-કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનની હત્યા બાદ અમેરિકામાં અનુભવાયેલી લાગણી સાથે કરી હતી. લાદેન પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકા પર થયેલા હુમલાનો આરોપ હતો.
Hamas leader Yahya Sinwar is dead.
This is a good day for Israel, for the United States, and for the world.
Here’s my full statement. pic.twitter.com/cSe1czhd9s
— President Biden (@POTUS) October 17, 2024
કમલા હેરિસે શું કહ્યું?
બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે પણ સિનવારના મૃત્યુને ગાઝામાં યુદ્ધને સમાપ્ત કરવાની તક ગણાવી હતી. વિસ્કોન્સિન કોલેજ કેમ્પસમાં પ્રચાર કરતી વખતે, કમલા હેરિસે કહ્યું કે યુદ્ધ એવી રીતે સમાપ્ત થવું જોઈએ કે ઇઝરાયલ અને તેના નાગરિકો સુરક્ષિત હોય, બંધકોને મુક્ત કરવામાં આવે, ગાઝામાં દુઃખનો અંત આવે અને પેલેસ્ટિનિયનો તેમની ગરિમા, સુરક્ષા અને સ્વતંત્રતાનો આનંદ માણી શકે અધિકારો અનુભવો. તેમણે કહ્યું કે, “હવે નવો દિવસ શરૂ કરવાનો સમય છે.”
7 ઓક્ટોબરનો હિસાબ બરાબર : નેતન્યાહૂ
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઓગસ્ટમાં ઈસ્માઈલ હાનિયાના મોત બાદ યાહ્યા સિનવાર હમાસના વડા બન્યા હતા. ઈસ્માઈલ હાનિયાની આ વર્ષે 31 જુલાઈએ ઈઝરાયેલ દ્વારા હત્યા કરવામાં આવી હતી. યાહ્યા સિનવારને ગયા વર્ષે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં 1200 ઈઝરાયલી માર્યા ગયા હતા. આ પછી જ ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબરના નરસંહાર અને અત્યાચાર માટે જવાબદાર યાહ્યા સિનવારને IDF દ્વારા મારવામાં આવ્યો હતો. વળી, ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે અમે 7 ઓક્ટોબરનો હિસાબ બરાબર કરી લીધો છે પરંતુ યુદ્ધ હજુ બાકી છે.
આ પણ વાંચો: Israel ની વધુ એક હરકત, હમાસ ચીફ Yahya Sinwar નું હુમલામાં મોત!