Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શું તમને રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી ? અજમાવો આ ઉપાય 2 મિનીટમાં આવી જશે ઊંઘ !

04:27 AM May 10, 2023 | Vipul Pandya

ઘણા લોકોને રાત્રે વહેલી ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, નિંદ્રા ન આવવાનો આધાર તમે તેના પહેલા કયું કામ કરી રહ્યા છો તેના પર પણ છે. ઘણા લોકો રાત્રે સૂતા પહેલા ફોન વગેરેનો ઉપયોગ કરે છે, જે તમારી ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. 
સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ અનિવાર્ય
દરેક વ્યક્તિ માટે ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારી ઊંઘ ન આવવાથી લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ઘણી વખત ઊંઘ ન આવવાને કારણે લોકો ખૂબ જ ગુસ્સે થઇ જાય છે. આ સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે જેઓ રાત્રે મોડા ઊંઘે છે. જ્યારે ઘણી વખત એવું પણ બને છે કે જ્યારે તમે દિવસ દરમિયાન આરામ કરો છો તો તમને રાત્રે ઊંઘ આવવામાં ઘણો સમય લાગે છે.
સારી ઊંઘ માટે પૌષ્ટિક ભોજનની પસંદગી
નિષ્ણાતોનું માનવું છે કે, નિંદ્રા ન આવવાનો આધાર તમે તેના પહેલા કયું કામ કરી રહ્યા છો તેના પર પણ છે. આવી સ્થિતિમાં, જો તમને પણ રાત્રે વહેલા ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. મહત્વનું છે કે, કાર્બોહાઇડ્રેટ યુક્ત ખોરાક ખાવાથી ખૂબ જ ઝડપથી ઊંઘ આવે છે.  સ્લીપ એક્સપર્ટ રોઝી ઓસ્મુનના જણાવ્યા અનુસાર, અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સૂવાના ચાર કલાક પહેલા કાર્બોહાઇડ્રેટ ખાવાથી તમે પૂરતી ઊંઘ લઈ શકો છો. તેથી તમારા આહારમાં કાર્બોહાઇડ્રેટ્સનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો. અન્ય એક અભ્યાસ દર્શાવે છે કે, જ્યારે તમે સૂવાનો સમય પહેલાં સ્ટાર્ચયુક્ત કાર્બોહાઇડ્રેટ ખાઓ છો તો તે વહેલી ઊંઘ તરફ દોરી જાય છે. 
રિસર્ચ બાદ તારણ સામે આવ્યું
આ માટે કેટલાક લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. બધા લોકોને સૂતા પહેલા ભાત અને શાકભાજી ખવડાવવામાં આવ્યા હતા પરંતુ એક દિવસ ભોજનમાં બીજા પ્રકારના ભાતનો સમાવેશ કરવામાં આવ્યો. ધ અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા તારણો દર્શાવે છે કે, જ્યારે લોકો સૂવાના સમયના ચાર કલાક પહેલાં જાસ્મિન રાઇસ ખાય છે, ત્યારે તેઓ સામાન્ય રીતે ઊંઘવામાં અડધો સમય જ લાગ્યો હતો. 
લોકોને આપવામાં આવતા આ જાસ્મિન ચોખામાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (જીઆઈ) હોય છે, જ્યારે લાંબા ચોખામાં જીઆઈ ઓછું હોય છે. તેથી સંશોધકોએ સૂચવ્યું કે, ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ કાર્બોહાઇડ્રેટ્સ ટ્રિપ્ટોફન અને સેરોટોનિનને પ્રોત્સાહન આપી શકે છે, બે પ્રકારના મગજના રસાયણો જે ઊંઘ લાવવામાં મદદ કરે છે.ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ કાર્બોહાઇડ્રેટ્સ તે છે જે ઝડપથી તૂટી જાય છે, જેના કારણે બ્લડશુગરમાં ઝડપી વધારો થાય છે. જેમાં આ બાબતોનો સમાવેશ થાય છે
  • સફેદ બ્રેડ
  • સફેદ ભાત
  • સફેદ બટેટા અને ફ્રાય
  • તરબૂચ અને પાઈનેપલ જેવા ફળો
  • કેક અને કૂકીઝ
નીચા અથવા મધ્યમ જીઆઈ ધરાવતા ખોરાક ધીમે ધીમે તૂટી જાય છે. જેના કારણે બ્લડ શુગર લેવલમાં ધીમે ધીમે વધારો થાય છે. સંશોધનમાં, ઉચ્ચ જીઆઈ કાર્બોહાઇડ્રેટ્સવાળા ખોરાકને ઝડપથી ઊંઘ લાવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. કારણ કે ઉચ્ચ જીઆઈ કાર્બોહાઇડ્રેટ્સમાં કેક, ડોનટ્સ અને પેકેજ્ડ સામાન જેવા ખાંડયુક્ત ખોરાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
 નિષ્ણાતો સૂવાનો સમય પહેલાં ખાંડના સેવનની ભલામણ કરતા નથી. આ સિવાય વજન ઘટાડનારા અને ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓએ પણ બ્લડ સુગર લેવલ વધારતા આવા ખોરાકથી દૂર રહેવું જોઈએ.
ઝડપી ઊંઘ મેળવવા માટે આ ટિપ્સ અનુસરો
દિવસ દરમિયાન નિદ્રા ન લો – લાંબી નિદ્રા તમારા ઊંઘના સમયપત્રકને ખલેલ પહોંચાડે છે, જેના કારણે રાત્રે ઊંઘમાં વિલંબ થઈ શકે છે. જો જરૂરી હોય તો, માત્ર 30 મિનિટ નિદ્રા લો. 
સમયને વારંવાર ન જોવો 
 જો તમને સારી ઊંઘ જોઈએ છે, તો વારંવાર ઘડિયાળ તરફ ન જુઓ અને વિચારો કે, તમારે સૂવાનો કેટલો સમય બાકી છે. તેનાથી તમારું ટેન્શન વધશે અને તમને ઊંઘ આવવામાં વધુ સમય લાગશે.
ઓરડાના તાપમાનને ધ્યાનમાં રાખો
સારી ઊંઘ માટે તમારા રૂમનું તાપમાન 60 થી 67 ડિગ્રી ફેરનહીટની વચ્ચે હોવું જોઈએ. જો તમારા રૂમનું તાપમાન ખૂબ ગરમ છે, તો તમારા શરીરનું તાપમાન પણ વધશે. જેના કારણે તમને ઉંઘવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.