પેરિસ ઓલિમ્પિક્સ 2024 (Paris Olympics) 26 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ વખતે ભારતીય ટીમ તેની મેડલ ટેલીને ડબલ ડિજિટમાં લઈ જવા ઈચ્છે છે. PM નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે અને 140 કરોડ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. ભારત પેરિસ ઓલિમ્પિક (Paris Olympics)માં લગભગ 120 ખેલાડીઓની ટુકડી મોકલી રહ્યું છે અને આશા છે કે આ વખતે તેઓ ટોક્યો ઓલિમ્પિક કરતાં વધુ સારું પ્રદર્શન કરશે.
A memorable interaction with our contingent for Paris Olympics. Let us all #Cheer4Bharat.https://t.co/64fPsDNuRB
— Narendra Modi (@narendramodi) July 5, 2024
ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સાત મેડલ જીત્યા હતા, જેમાં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં જીતેલા ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. PM નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથ્લેટ્સની મોટી ટુકડીને મળ્યા બાદ ‘X’ પર પોસ્ટ કર્યું કે તેમણે ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી અમારી ટુકડી સાથે વાત કરી. મને વિશ્વાસ છે કે અમારા ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમની ખેલદિલી અને સફળતા 140 કરોડ ભારતીયોને આશા આપે છે. PM મોદીએ નીરજ ચોપરાને પૂછ્યું કે તેઓ તેમને તેમની માતા દ્વારા બનાવેલા દહીં ચુરમા ક્યારે ખવડાવશે. ત્યારે નીરજે કહ્યું કે હા સર, તે જલ્દી જ હરિયાણાથી ચુરમા લાવશે.
Interacted with our contingent heading to Paris for the @Olympics. I am confident our athletes will give their best and make India proud. Their life journeys and success give hope to 140 crore Indians. pic.twitter.com/OOoipJpfUb
— Narendra Modi (@narendramodi) July 4, 2024
ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા પણ હતા. મોદીએ નીરજ ચોપરા, બોક્સર નિખાત ઝરીન અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સાથે પણ વર્ચ્યુઅલ વાતચીત કરી હતી.
આ પણ વાંચો : Victory Parade : મુંબઈના મરીન ડ્રાઈવ પર હાથરસ જેવી ઘટના બનતી બચી, આ દ્રશ્યો છે સાક્ષી…
આ પણ વાંચો : Viral Video : ‘હું ભગવાન રામ અને હનુમાનનો ભક્ત છું’ આફ્રિકન ક્રિકેટરે આપ્યું આ નિવેદન
આ પણ વાંચો : WANKHEDE STADIUM માં જીતની અવિસ્મરણીય ઉજવણી; સર્જાયા અહ્લાદક દ્રશ્યો!