અયોધ્યા (Ayodhya)માં શ્રી રામ લલ્લાનો અભિષેક ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ કોંગ્રેસે ફગાવી દીધું હતું. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના નેતા અને હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહ અયોધ્યા (Ayodhya) શહેર પહોંચ્યા. તેમણે રામ મંદિરના ભવ્ય સમારોહમાં ભાગ લીધો હતો. તેઓ હિમાચલ સરકારમાં PWD મંત્રી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા હિમાચલ પ્રદેશ કોંગ્રેસ શાસિત એકમાત્ર રાજ્ય બન્યું હતું જેણે રાજ્યના કર્મચારીઓ માટે અડધા દિવસની રજા જાહેર કરી હતી. કોંગ્રેસે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહને ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ ગણાવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ અયોધ્યા (Ayodhya)માં કાર્યક્રમ માટેના આમંત્રણને ફગાવી દીધું હતું.
#WATCH | Ayodhya: After attending the Shri Ram Pran Pratishtha ceremony, Himachal Pradesh minister & Congress leader Vikramaditya Singh says, "I feel fortunate to be present here. Today is a historic day for the country and the world. I feel proud… I pray to Lord Ram that the… pic.twitter.com/XFfdcEXV9N
— ANI (@ANI) January 22, 2024
કોંગ્રેસ પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘ભગવાન રામને આપણા દેશમાં કરોડો લોકો પૂજે છે. ધર્મ એ અંગત બાબત છે. પરંતુ, આરએસએસ અને ભાજપે લાંબા સમયથી અયોધ્યા (Ayodhya)માં મંદિરનું રાજકારણ કર્યું છે. અધૂરા મંદિરનું ઉદઘાટન ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્પષ્ટપણે ચૂંટણીના લાભ માટે કરવામાં આવ્યું છે. “સુપ્રીમ કોર્ટના 2019ના નિર્ણયને પગલે અને ભગવાન રામની આરાધના કરતા લાખો લોકોની ભાવનાઓને માન આપતા, કોંગ્રેસના નેતાઓએ આમંત્રણ નકારી કાઢ્યું છે.”
આ પણ વાંચો : Ram Mandir : રામ લલ્લાની મૂર્તિનો રંગ કેમ કાળો છે? તેની પાછળનું કારણ રસપ્રદ છે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ