+

Uttarakhand માં Landslide નો આ વીડિયો જોઇને તમે પણ ગભરાઈ જશો!, ચમોલી બદ્રીનાથ હાઈવે બંધ…

બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાલગંગા લાંગસી ટનલ પાસે એક પહાડ પરથી લગભગ 12:15 વાગ્યે ભૂસ્ખલન (Landslide) થયું હતું. અહીં હાઈવે પર બનેલી ટનલ છે. સદનસીબે આ સમય દરમિયાન અહીં કોઈ…

બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાલગંગા લાંગસી ટનલ પાસે એક પહાડ પરથી લગભગ 12:15 વાગ્યે ભૂસ્ખલન (Landslide) થયું હતું. અહીં હાઈવે પર બનેલી ટનલ છે. સદનસીબે આ સમય દરમિયાન અહીં કોઈ વાહન આગળ વધી રહ્યું નહતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. જોશીમઠમાં બદ્રીનાથ હાઈવે ગઈકાલે સવારે 7 વાગ્યાથી બંધ છે. ગઈકાલે અહીં ભારે પથ્થરમારાના કારણે હાઈવે પરનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. અત્યારે અહીં હાઈવે ખુલ્લો કરવાની કામગીરી ચાલી રહી છે. હાઇવે બંધ થવાને કારણે તમામ વાહનો અટવાયા હતા, જેના કારણે આ વિસ્તારમાં કોઇપણ વાહન ચાલતું નથી.

ત્રણ દિવસથી વરસાદ પડ્યો નથી છતાં પહાડો તૂટી રહ્યા છે. પાગલ નાળામાં જે જગ્યાએ ભૂસ્ખલન (Landslide) થયું તે જૂનો ભૂસ્ખલન (Landslide) ઝોન છે. હજુ સુધી અહીંથી કાટમાળ હટાવવામાં આવ્યો નથી. જોશીમઠમાં હાઈવે તૂટી જવાને કારણે મોટી સંખ્યામાં મુસાફરો ત્યાં ફસાયેલા છે. આજે મતદાનને કારણે હોટલ અને દુકાનો પણ બંધ છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદની શક્યતા…

બુધવારે રાજ્યના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના અનેક રાઉન્ડની શક્યતા છે. હવામાન કેન્દ્ર એ કુમાઉ વિભાગના ચંપાવત અને નૈનીતાલ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આગામી દિવસોની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં ભારે વરસાદના અનેક રાઉન્ડની શક્યતા છે.

આ પણ વાંચો : Rajasthan Budget માં બમ્પર નોકરીઓનું એલાન, જાણો ભજનલાલ સરકારે શું આપી ગિફ્ટ…

આ પણ વાંચો : Unnao Accident : PM થી લઈને રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું શોક, PMO મૃતકોના પરિવારને આપશે વળતર…

આ પણ વાંચો : Madhya Pradesh માંથી સામે આવી હૃદયદ્રાવક ઘટના, પતિએ પત્નીનું માથું કાપી કરી હત્યા…

Whatsapp share
facebook twitter