+

Sandeshkhali Case : સુપ્રીમ કોર્ટનો મમતા સરકારને આંચકો, CBI તપાસ સામેની અરજી ફગાવી…

સંદેશખાલી (Sandeshkhali) કેસમાં CBI તપાસ કરાવવાના કોલકાતા હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચતા મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની અરજી ફગાવી દીધી છે. સંદેશખાલી (Sandeshkhali)…

સંદેશખાલી (Sandeshkhali) કેસમાં CBI તપાસ કરાવવાના કોલકાતા હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચતા મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની અરજી ફગાવી દીધી છે. સંદેશખાલી (Sandeshkhali) કેસમાં CBI તપાસ ચાલુ રહેશે. સુપ્રિમ કોર્ટે સંદેશખાલી (Sandeshkhali)ની તપાસ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે રાશન કૌભાંડમાં 43 FIR દાખલ કરવામાં આવી છે. રાજકીય કારણોસર આને વધારીને બતાવવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, સંદેશખાલી (Sandeshkhali) કેસ યૌન ઉત્પીડનના આરોપોને લઈને ચર્ચામાં હતું. TMC નેતા શાહજહાં શેખ અને તેના સાગરિતો પર અહીં ઘણી મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. આરોપ હતો કે મહિલાઓને બળજબરીથી પાર્ટી ઓફિસમાં બોલાવીને હેરાન કરવામાં આવતી હતી. આ મામલાએ વેગ પકડ્યા બાદ કલકત્તા હાઈકોર્ટે CBI ને તપાસ સોંપી હતી. આ નિર્ણય સામે મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

શાહજહાં શેખ પર ED ટીમ પર હુમલાનો પણ આરોપ છે…

આ વર્ષે જાન્યુઆરીમાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા શાહજહાં શેખની ધરપકડ કરી હતી અને સંદેશખાલી (Sandeshkhali)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલાના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં 1000 લોકોના ટોળાએ ED ની ટીમ પર હુમલો કર્યો હતો. કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડ મામલે CBI શેખના ઘરે દરોડો પાડવા ગઈ હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. કૌભાંડમાં તપાસ હેઠળ રહેલા રાજ્યના ભૂતપૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિ પ્રિયા મલિક સાથેના કથિત નજીકના સંબંધોને કારણે CBI શેખની ધરપકડ કરવા ગઈ હતી.

ગુનાહિત કાવતરું અને હત્યાના પ્રયાસનો આરોપ…

CBI એ શાહજહાં શેખ, તેના ભાઈ અને અન્ય પાંચ સામે ગુનાહિત કાવતરું અને હત્યાના પ્રયાસનો આરોપ મૂક્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, શેખ, તેના ભાઈ આલમગીર અને સહયોગીઓ ઝિયાઉદ્દીન મુલ્લા, મફુઝર મુલ્લા અને દિદારબખ્શ મુલ્લાનો ચાર્જશીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. CBI એ આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું) અને 307 (હત્યાનો પ્રયાસ) સાથે રમખાણો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવણી સહિત અન્ય આરોપો સાથે આરોપ મૂક્યો છે.

આ પણ વાંચો : Jammu and Kashmir : કબાટમાં બંકર અને ગુપ્ત દરવાજો, આ રીતે છુપાયા હતા આતંકીઓ, જુઓ Video

આ પણ વાંચો : Madhya Pradesh : ભાજપે જૂના કોંગ્રેસીને મંત્રી બનાવ્યા, રામનિવાસ રાવતનો મોહન યાદવ સરકારમાં સમાવેશ…

આ પણ વાંચો : Assam Floods : આસામમાં મોત બનીને આવ્યો વરસાદ! 78 લોકોએ જીવ ગુમાવ્યા…

Whatsapp share
facebook twitter