+

Vaishno Devi : વૈષ્ણોદેવી મંદિરની જૂની ગુફા ફરી ખોલવામાં આવી, ભક્તો દર્શન માટે જઈ શકશે…

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી (Vaishno Devi) મંદિરના ગર્ભગૃહ તરફ જતી જૂની અને કુદરતી ગુફાને વાર્ષિક પરંપરાને ધ્યાનમાં રાખીને ફરીથી ખોલવામાં આવી છે. વર્ષના આ સમયે ગુફા સામાન્ય રીતે…

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી (Vaishno Devi) મંદિરના ગર્ભગૃહ તરફ જતી જૂની અને કુદરતી ગુફાને વાર્ષિક પરંપરાને ધ્યાનમાં રાખીને ફરીથી ખોલવામાં આવી છે. વર્ષના આ સમયે ગુફા સામાન્ય રીતે પૂજા કર્યા પછી ફરીથી ખોલવામાં આવે છે. અધિકારીઓએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન મંદિરમાં આવનારા ભક્તોની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે. જૂની ગુફા રવિવારે ફરી ખોલવામાં આવી હતી અને તીર્થયાત્રીઓએ તેમાંથી યાત્રા કરી હતી.

જાણો શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી શું કહ્યું…

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, શ્રી માતા વૈષ્ણોદેવી (Vaishno Devi) શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી અંશુલ ગર્ગે કહ્યું કે મંદિરમાં પૂજા કર્યા પછી, તીર્થયાત્રીઓને જૂની ગુફામાંથી મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે શ્રાઈન બોર્ડ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે ભીડની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જૂની ગુફામાંથી વધુ શ્રદ્ધાળુઓ તીર્થયાત્રા કરે.

ભીડને ધ્યાનમાં રાખીને જૂની ગુફા ખોલવામાં આવી…

ગર્ગે કહ્યું કે યાત્રિકોને કોઈ અસુવિધા ન થાય તે માટે અધિકારીઓને ભીડને ધ્યાનમાં રાખીને જૂની ગુફામાંથી દર્શનની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કુદરતી ગુફા દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જ ખોલવામાં આવે છે જ્યારે ભીડ ઓછી હોય છે. તેમણે કહ્યું કે બાકીના મહિનામાં મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓએ નવી બનેલી ગુફાઓમાંથી પસાર થવું પડશે.

ગયા વર્ષે સૌથી વધુ ભક્તોએ દર્શન કર્યા…

તમને જણાવી દઈએ કે, છેલ્લા વર્ષે રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવી (Vaishno Devi)ના દર્શન કર્યા હતા. છેલ્લા વર્ષે એટલે કે 2023 માં કુલ 93.50 લાખ શ્રદ્ધાળુઓને માતા વૈષ્ણોદેવી (Vaishno Devi)ના દર્શન કર્યા હતા. અગાઉ 2013 માં સૌથી વધુ 93.24 લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવી (Vaishno Devi)ના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો : Satabdi Roy : મહિલા સાંસદનું વિવાદાસ્પદ નિવેદન, શ્રી રામજીને BPL કાર્ડ ધારક કહ્યા…

Whatsapp share
facebook twitter