+

લોકસભાના અધ્યક્ષની ચૂંટણી માટે TMC-SP ના સાંસદો નહીં કરી શકે મતદાન

લોકસભાના અધ્યક્ષ (Speaker of Lok Sabha) માટે આજે સવારે 11 વાગ્યે ચૂંટણી (Election) યોજાશે. NDAના ઓમ બિરલા (Om Birla) અને INDIA ગઠબંધનના કે સુરેશ (K Suresh) વચ્ચે મુકાબલો છે. 542…

લોકસભાના અધ્યક્ષ (Speaker of Lok Sabha) માટે આજે સવારે 11 વાગ્યે ચૂંટણી (Election) યોજાશે. NDAના ઓમ બિરલા (Om Birla) અને INDIA ગઠબંધનના કે સુરેશ (K Suresh) વચ્ચે મુકાબલો છે. 542 સાંસદોમાંથી માત્ર 537 સાંસદો જ સ્પીકરને મત આપશે. આજે સવારે 11 વાગ્યા પછી નક્કી થશે કે લોકસભાના સ્પીકર કોણ હશે. અગાઉ સ્પીકરની ચૂંટણી બિનહરીફ થઈ છે પરંતુ આ વખતે વિપક્ષ ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરી રહ્યા છે. સરકાર તેમની માંગણીઓ સ્વીકારી રહી નથી ત્યારે વિપક્ષ પણ પોતાની તાકાત બતાવી રહ્યો છે. સંખ્યાત્મક તાકાત મુજબ ઓમ બિરલાની પસંદગી લગભગ નિશ્ચિત છે.

ભારતના ચૂંટણી ઈતિહાસમાં આ પહેલીવાર બનશે

લોકસભા અધ્યક્ષ પદ માટે આજે સવારે 11 વાગ્યે મતદાન થવાનું છે. લોકસભાના તમામ સભ્યો તેમાં મતદાન કરશે. NDA અને INDIA ગઠબંધન વચ્ચે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદને લઈને કોઈ સહમતિ ન થયા પછી, વિપક્ષે મંગળવારે કે. સુરેશને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જ્યારે NDAએ ફરી એકવાર 17મી લોકસભામાં સ્પીકર રહેલા ઓમ બિરલામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આવી સ્થિતિમાં રાજસ્થાનના કોટા-બુંદી લોકસભા મતવિસ્તારમાંથી ત્રણ વખતના સાંસદ ઓમ બિરલા અને કેરળના માવેલિકારાથી 8મી વખત સાંસદ કે. સુરેશ વચ્ચે સીધી હરીફાઈ છે. ભારતના ચૂંટણી ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે વિપક્ષે લોકસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હોય. NDAના આંકડાઓ મજબૂત છે, તેથી તે સરકારમાં પણ છે. તેથી ઓમ બિરલાની જીત નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. લોકસભામાં NDA સાથે 293 સાંસદો છે. જ્યારે INDIA ગઠબંધનના 233 સાંસદો છે.

આ સાંસદો નહીં કરી શકે ચૂંટણી

મંગળવારે (25 જૂન) પણ લોકસભાની કાર્યવાહી ચાલુ રહી. બીજા દિવસે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, SP પ્રમુખ અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ સહિત ઘણા નવા ચૂંટાયેલા સભ્યોએ લોકસભાના સભ્યો તરીકે શપથ લીધા હતા. જો કે આ દરમિયાન સાત જેટલા લોકસભા સભ્યો આજે શપથ લઈ શક્યા ન હતા. વાસ્તવમાં જે નેતાઓએ શપથ લીધા નથી તેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, TMC નેતા શત્રુઘ્ન સિંહા, દીપક અધિકારી, નુરુલ ઈસ્લામ અને SP સાંસદ અફઝલ અંસારીનો સમાવેશ થાય છે. આ સિવાય બે અપક્ષ સાંસદ એન્જિનિયર રાશિદ અને અમૃતપાલ સિંહ પણ શપથ લઈ શક્યા ન હતા.

આટલા સાંસદો જ મતદાન કરી શકશે

સંસદમાં હાજર સભ્યોની સાદી બહુમતી દ્વારા ચૂંટણી કરવામાં આવે છે. જો આજે ઓમ બિરલા જીતી જાય છે, તો તેઓ બીજી વખત લોકસભાના સ્પીકર બનનાર પ્રથમ BJP સાંસદ હશે. આ પહેલા કોંગ્રેસના બલરામ જાખડ બે વખત સ્પીકર રહી ચૂક્યા છે. વળી, ભાજપ તેના સહયોગી JDU અને TDP માંથી કોઈ એકને ડેપ્યુટી સ્પીકરનું પદ આપી શકે છે. માહિતી અનુસાર, 24 જૂન, સોમવારથી શરૂ થયેલા 18મી લોકસભાના પ્રથમ સત્રમાં છેલ્લા બે દિવસમાં 542માંથી 535 સાંસદોએ શપથ લીધા છે. 7 સાંસદ એવા છે જેમણે હજુ સુધી શપથ લીધા નથી. આવી સ્થિતિમાં તેઓ આ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં. જેમાં કોંગ્રેસના શશિ થરૂર, સપાના અફઝલ અંસારી, અપક્ષ રશીદ એન્જિનિયર અને અમૃતપાલ સિંહ, ટીએમસીના શત્રુઘ્ન સિંહા, દીપક અધિકારી અને શેખ નુરુલ ઈસ્લામનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – Lok Sabha Speaker : મમતા અને જગન મોહન બાજી બગાડશે…?

આ પણ વાંચો – લોકસભાના અધ્યક્ષ માટે આજે 11 વાગ્યે થશે મતદાન, આઝાદી પછી આ ત્રીજી વખત હશે જ્યારે…

Whatsapp share
facebook twitter