+

UP માં વીજળી પડવાથી તબાહી, વિવિધ વિસ્તારોમાં 11 લોકોના મોત, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

ભારતમાં ચોમાસુ પ્રવેશી ચૂક્યું છે. અનેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઘણી જગ્યાએ વીજળી પડવાના પણ અહેવાલ છે. ઉત્તર પ્રદેશ (UP)માં વીજળી પડવાથી 11 લોકોના મોત થયા…

ભારતમાં ચોમાસુ પ્રવેશી ચૂક્યું છે. અનેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઘણી જગ્યાએ વીજળી પડવાના પણ અહેવાલ છે. ઉત્તર પ્રદેશ (UP)માં વીજળી પડવાથી 11 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે જણાવ્યું કે 10 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ (UP)ના પ્રતાપગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળી પડવાને કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની સંયુક્ત ટીમ પ્રતાપગઢમાં સ્થિતિની સમીક્ષા કરી રહી છે. પોલીસે જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને ખેડૂત અકસ્માત સહાય યોજના હેઠળ વળતર આપવામાં આવશે.

વીજળી પડવાથી અનેક લોકોના મોત થયા છે…

આ મૃત્યુ પ્રતાપગઢ જિલ્લાના સંગ્રામગઢ, જેઠવાડા, અંતુ, માણિકપુર અને કંધાઈ પોલીસ વર્તુળોમાં થયા છે. પોલીસે જણાવ્યું કે બુધવારે સાંજે માણિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં ક્રાંતિ વિશ્વકર્મા, ગુડ્ડુ સરોજ અને પંકજ ત્રિપાઠીનો સમાવેશ થાય છે. ત્રણેય અતૌલિયા, અગોસ અને નવાબગંજના રહેવાસી છે. મન્નારના રહેવાસી શિવ પટેલ નામના વ્યક્તિને વીજળી પડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કંધાઈ વિસ્તારમાં બુધવારે સાંજે વીજળી પડવાથી અર્જુન અને તેની પત્ની સુમનનું મોત થયું હતું.

મૃત્યુ પામેલાઓમાં માતા અને પુત્રીનો પણ સમાવેશ થાય છે…

અમહરા ગામમાં વીજળી પડતાં રામ પ્યારી નામની મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સંગ્રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ભરતપુર ગામમાં બુધવારે સાંજે વીજળી પડવાથી બે લોકોના મોત થયા હતા. જેમાં આરતી મિશ્રા અને તેની પુત્રી અનન્યા મિશ્રાનો સમાવેશ થાય છે. બંને ભરતપુરના રહેવાસી છે. તેવી જ રીતે નયાપુરવામાં રહેતી સૂર્યકાલી નામની 65 વર્ષીય મહિલાનું પણ ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાથી મોત થયું હતું. જેઠવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સાંજે વીજળી પડવાથી આરાધના સરોજ નામની મહિલાનું મોત થયું હતું.

આ પણ વાંચો : Russia અને Austria ના પ્રવાસ બાદ PM મોદી પહોંચ્યા નવી દિલ્હી, જાણો શું હતું પ્રવાસમાં ખાસ..

આ પણ વાંચો : Bihar : માનવી મધુ કશ્યપ દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઈન્સ્પેક્ટર બની, CM નીતિશનો આભાર માન્યો…

આ પણ વાંચો : Ladakh : બરફના થર નીચે દબાયેલા 3 સૈનિકોના મૃતદેહને શોધી કઢાયા

Whatsapp share
facebook twitter