ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. નડ્ડા ઉપલા ગૃહમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું સ્થાન લેશે. પીયૂષ ગોયલ તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી જીત્યા છે. ગોયલે આજે નીચલા ગૃહના સભ્ય તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે.
જેપી નડ્ડા- BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી…
જેપી નડ્ડા BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવા ઉપરાંત કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. તેઓ સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. નડ્ડા મૂળ હિમાચલ પ્રદેશના છે, તેમનો જન્મ બિહારમાં થયો હતો અને હાલમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય છે. નડ્ડા ઉપરાંત ઉપલા ગૃહના 11 સભ્યો કેન્દ્રીય મંત્રી પરિષદમાં છે. શપથગ્રહણ પછી, એવી અટકળો હતી કે નડ્ડા BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપશે, જે તેમણે 2020 માં વર્તમાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી લીધું હતું. જો કે, હવે લાગે છે કે નડ્ડા BJPના ટોચના સંગઠનાત્મક નેતા જ રહેશે.
Union Minister and BJP National President JP Nadda has been appointed as the Leader of the House of the Rajya Sabha.
(File Photo) pic.twitter.com/nd8f5BtUu4
— ANI (@ANI) June 24, 2024
પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી ક્યારે થઈ શકે?
પાર્ટીના નિયમો અનુસાર, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ત્યારે જ થાય છે જ્યારે 50 ટકા રાજ્યોમાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થઈ જાય, જે લગભગ છ મહિના સુધી ચાલવાની ધારણા છે. તેથી નવા પ્રમુખની ચૂંટણી ડિસેમ્બર-જાન્યુઆરીમાં થઈ શકે છે.
જેપી નડ્ડાની રાજકીય સફર…
જેપી નડ્ડાએ તેમની રાજકીય સફર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી શરૂ કરી હતી, જે RSS ની વિદ્યાર્થી શાખા છે. તેઓ 1991 માં પાર્ટીની યુવા શાખા (ભારતીય જનતા યુવા મોરચા)ના નેતા બન્યા. તેઓ પ્રથમ વખત 2012 માં હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2014 માં જ્યારે અમિત શાહે પાર્ટીના અધ્યક્ષનું પદ સંભાળ્યું ત્યારે તેમને BJPના સંસદીય બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેમણે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પણ સેવા આપી હતી. 1993, 1998 અને 2007 માં – તેમણે બિલાસપુર સીટ પર ત્રણ વખત જીત મેળવી હતી અને 1998 અને 2003 વચ્ચે આરોગ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. આ વર્ષે એપ્રિલમાં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા.
આ પણ વાંચો : NEET પેપર લીકમાં CBI એ સંભાળ્યો મોરચો, અત્યાર સુધીમાં 25 આરોપીઓની ધરપકડ…
આ પણ વાંચો : Jharkhand : ઈ-રિક્ષા દ્વારા સપ્લાય, સીલબંધ પરબીડિયા સાથે છેડછાડ… જાણો NEET પેપર લીકની નવી કહાની
આ પણ વાંચો : Varanasi : Kashi Vishwanath Dham ની આવકમાં ચાર ગણો વધારો, ભક્તોની સંખ્યા 16.22 કરોડ…