લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) માટે ચૂંટણી પ્રચારનો છેલ્લો તબક્કો (Last Phase of Election Campaign) સમાપ્ત થઈ ગયો છે. ચૂંટણીના સાતમા તબક્કા (Seventh Phase of the Election) નું મતદાન 1 જૂન, 2024ના રોજ થશે. લોકસભા ચૂંટણી માટે મેરેથોન પ્રચાર (Marathon Campaign) સમાપ્ત કર્યા બાદ PM મોદી રોક મેમોરિયલ પહોંચ્યા હતા. અહીંથી તેમની સૂર્યનારાયણવી પૂજા કરતી એક તસવીર વાયરલ થઇ રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, તેઓ મૌન ઉપવાસ કરી રહ્યા છે અને 1 જૂનની સાંજ સુધી ધ્યાન કરશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી હવે ધ્યાનની મુદ્રામાં બેઠા છે. આ દરમિયાન તેઓ અન્નનો એક પણ દાણો ગ્રહણ કરશે નહીં.
45 કલાક સુધી નહીં ગ્રહણ કરશે અન્નનો એક પણ દાણો
કન્યાકુમારીમાં સમુદ્રની વચ્ચે સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનની મુદ્રામાં બેઠેલા PM મોદીની તસવીરો સામે આવી છે. PM મોદી અહીં ધ્યાનની મુદ્રામાં બેઠા છે. તેમણે ગુરુવારે સાંજે લગભગ 6.45 વાગ્યે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન શરૂ કર્યું જે 1 જૂનની સાંજ સુધી ચાલુ રહેશે. PM મોદી એ જ ખડક પર બેસીને ધ્યાન કરી રહ્યા છે જેના પર વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. તેમના 45 કલાકના મેડિટેશન દરમિયાન PM મોદી માત્ર લિક્વિડ ડાયટ જ લેશે અને આ દરમિયાન તેઓ માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષના જ્યૂસનું સેવન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન PM મોદી મૌન ઉપવાસ પણ કરશે અને ધ્યાન ખંડમાંથી બહાર નહીં આવે.
Kanniyakumari, Tamil Nadu | PM Narendra Modi meditates at the Vivekananda Rock Memorial, where Swami Vivekananda did meditation.
PM Narendra Modi will meditate here till 1st June pic.twitter.com/kcPECWZetA
— ANI (@ANI) May 31, 2024
ચુસ્ત સુરક્ષા તૈનાત
PM મોદીની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. વેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદીના 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બીચ શનિવાર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે અને ખાનગી બોટને પણ ચાલવા દેવામાં આવશે નહીં. દેશના દક્ષિણ છેડે આવેલા આ જિલ્લામાં 2 હજાર પોલીસકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવશે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કડક તકેદારી રાખશે.
#WATCH | PM Narendra Modi arrived at Vivekananda Rock Memorial in Kanniyakumari, Tamil Nadu yesterday.
PM Modi is meditating at the Vivekananda Rock Memorial, where Swami Vivekananda did meditation. He will meditate here till 1st June pic.twitter.com/pIh9afN4vR
— ANI (@ANI) May 31, 2024
વિપક્ષે આ કાર્યક્રમ પર ઉઠાવ્યા સવાલ
એક તરફ જ્યા PM મોદીએ મૌન ઉપવાસ કરી રહ્યા છે તો બીજી તરફ વિપક્ષે ચૂંટણી પંચનો સંપર્ક કરીને તેમના કવરેજ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ ઉપરાંત ભાજપ અને PM મોદી સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જોકે, નિયમોના નિષ્ણાતોનું માનવું છે કે ચૂંટણી પંચ આ અંગે કોઈ પગલાં લે તેવી શક્યતા નથી. તેનું કારણ એ છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં આવા કોઈપણ કાર્યક્રમ પર પ્રતિબંધ નથી, જે હેઠળ ચૂંટણી પંચ આવા કેસમાં કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો – Kanniyakumari : PM મોદી કન્યાકુમારી પહોંચ્યા, ભગવતી અમન મંદિરમાં પૂજા કરી…
આ પણ વાંચો – PM MODI : હવે ધ્યાનના મુદ્દે શરુ થયું રાજકારણ…!