+

Jaish ul-Adl : 600 આતંકવાદીઓના જૂથે કુલભૂષણનું અપહરણ કર્યું હતું…

ઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલ (Jaish ul-Adl)ના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલા બાદથી આ સંગઠન આખી દુનિયામાં હેડલાઈન્સમાં રહ્યું છે. હવે એ વાત સામે…

ઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલ (Jaish ul-Adl)ના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલા બાદથી આ સંગઠન આખી દુનિયામાં હેડલાઈન્સમાં રહ્યું છે. હવે એ વાત સામે આવી છે કે ઈરાનમાંથી ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના અપહરણ પાછળ આ સંગઠનનો હાથ હતો. જૈશ અલ-અદલે (Jaish ul-Adl) માર્ચ 2016માં ઈરાનના ચાબહારથી કુલભૂષણ જાધવનું અપહરણ કર્યું હતું. જાધવના અપહરણ બાદ આ આતંકી સંગઠન ભારતીય ગુપ્તચર એજન્સીઓના રડાર પર આવી ગયું હતું. એજન્સીઓનું કહેવું છે કે જાધવના અપહરણ બાદ જૈશ અલ-અદલે (Jaish ul-Adl) તેને પાકિસ્તાનના આતંકી સંગઠન ISIને સોંપી દીધો હતો. આ પછી પાકિસ્તાને જાધવ પર ભારતીય જાસૂસ હોવાનો આરોપ લગાવ્યો અને તેને જેલમાં ધકેલી દીધો. આ બાબતને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો.

પરંતુ હવે બલૂચિસ્તાનમાં જૈશ અલ-અદલ (Jaish ul-Adl)ના અડ્ડા પર ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ આ સંગઠન ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. આ હુમલા અંગે પાકિસ્તાને દાવો કર્યો છે કે આ હુમલામાં બે પાકિસ્તાની બાળકોના મોત થયા છે. પાકિસ્તાને તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી છે અને ઈરાનને ગંભીર પરિણામોનો સામનો કરવાની ચેતવણી આપી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન ‘સંપૂર્ણપણે અસ્વીકાર્ય’ છે અને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે.

તમને જણાવી દઈએ કે ઈરાન દ્વારા આ હુમલો એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં સંકટ ઘેરી બની રહ્યું છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ઈરાન દ્વારા નિશાન બનાવવામાં આવેલા આતંકી સંગઠનના આતંકીઓ દરરોજ ઈરાન-પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાની સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે. આ હુમલાની માહિતી આપતા ઈરાનની ન્યૂઝ એજન્સીએ કહ્યું કે આ હુમલામાં આતંકી સંગઠન જૈશ-અલ-અદલ (Jaish ul-Adl)ને ખાસ નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈરાનનો દાવો છે કે તેણે બે આતંકવાદી ગઢોને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધા છે.

જૈશ અલ અદલ 600 આતંકવાદીઓનું સંગઠન છે

જૈશ અલ-અદલ (Jaish ul-Adl) એટલે કે “આર્મી ઑફ જસ્ટિસ” એ 2012માં સ્થાપિત સુન્ની આતંકવાદી જૂથ છે જે મોટાભાગે પાકિસ્તાનમાં કાર્યરત છે. પાકિસ્તાનના સિસ્તાન-બલુચિસ્તાનથી કાર્યરત આ આતંકી સંગઠન ઈરાન અને પાકિસ્તાનની સરહદ પર ખૂબ જ સક્રિય છે. આ જ કારણ છે કે આ સંગઠન બંને સરકાર માટે માથાનો દુખાવો બની ગયું છે. અમેરિકા અને ઈરાન બંનેએ આ સંગઠનને આતંકવાદી જાહેર કર્યું છે. આ સુન્ની સંગઠનમાં 500 થી 600 આતંકીઓ છે. ગયા મહિને, ઈરાનના પ્રધાન અહમદ વાહિદીના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વીય પ્રાંત સિસ્તાન-બલુચેસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર રાત્રિના સમયે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 11 ઈરાની પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. ઈરાને આ ઘટના માટે જૈશ-અલ-અદલ (Jaish ul-Adl)ને જવાબદાર ઠેરવ્યું હતું.

જૈશ અલ-અદલની કરતૂતો

યુએસ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ (DNI) અનુસાર, જૈશ અલ-અદલે (Jaish ul-Adl) 2013થી ઈરાનની બોર્ડર પોલીસ અને સેના પર અનેક હુમલા કર્યા છે. આ સંગઠન હત્યા, અપહરણ, હિટ એન્ડ રન અને સરકારી અધિકારીઓ અને નાગરિકોના દરોડા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ સંગઠને સૌપ્રથમ 2013માં હેડલાઈન્સ બનાવી હતી જ્યારે તેણે 14 ઈરાની સુરક્ષા કર્મચારીઓની હત્યા કરી હતી. આ પછી ઈરાન સરકારે કેટલાક બલૂચ કેદીઓને મોતની સજાની જાહેરાત કરી હતી. આ હુમલાના બીજા જ દિવસે ઈરાને ઘણા કેદીઓને મોતની સજા ફટકારી હતી.

આ પણ વાંચો : US attack Houthis : અમેરિકાએ હુથી વિદ્રોહીઓના ઠેકાણાં પર કર્યો મિસાઈલ હુમલો

Whatsapp share
facebook twitter