સાઉદી અરેબિયા (Saudi Arabia) ના મક્કા (Makkah) શહેરમાં આ વર્ષે ખૂબ જ ગરમી પડી રહી છે. આ આકરી ગરમી વચ્ચે હજ યાત્રા (Hajj Pilgrimage) દરમિયાન 1,300થી વધુ લોકોના મોત (1,300 People Died) થયા હતા. સાઉદી અરેબિયા (Saudi Arabia) ના સ્વાસ્થ્ય મંત્રી (Health Minister) એ આ જાણકારી આપી હતી. આમાં મોટી સંખ્યામાં ભારતીય હજ યાત્રીઓ (Hajj Pilgrims) નો પણ સમાવેશ થાય છે જેઓ થોડા સમય પહેલા હજ માટે સાઉદી અરેબિયા (Saudi Arabia) ગયા હતા.
1300થી વધુ લોકોના મોત
ગરમી દર વર્ષે વધતી રહી છે. ત્યારે દુનિયાભરમાં વધતી ગરમીના કારણે મોતને ભેટતા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ખાસ સાઉદી અરેબિયાની વાત કરવામાં આવે તો અહીં પણ આકરી ગરમીએ મોટી સંખ્યામાં લોકોનો જીવ લીધો છે. સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રી ફહાદ અલ-જલાઝેલે રવિવારે જણાવ્યું હતું કે, આ વર્ષની હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 1,301 લોકોના મોત થયા છે. રાજ્ય ટેલિવિઝનએ મંત્રીને ટાંકીને જણાવ્યું હતું કે તીર્થયાત્રીઓ “પર્યાપ્ત આશ્રય અથવા આરામ વિના સીધા સૂર્યપ્રકાશમાં લાંબા અંતરની મુસાફરી” ને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં ઘણા વૃદ્ધ લોકો અને લાંબી બીમારીઓથી પીડિત લોકોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, લગભગ 83 ટકા મૃત્યુ એવા લોકોમાં થયા છે જેમને તીર્થયાત્રા કરવા માટે અધિકૃત નથી. આ વર્ષે મક્કામાં ઉનાળાનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જે હજ યાત્રીઓ માટે કોઈ આફતથી ઓછું નથી. 19 જૂનના રોજ, મુખ્ય મસ્જિદની નજીક, ભારતીય યાત્રાળુ ખાલિદ બશીર બજાજે કહ્યું હતું કે, તેણે આ વર્ષના હજ દરમિયાન ઘણા લોકોને જમીન પર બેભાન થતા જોયા છે.
Over 1,300 people died during Hajj pilgrimage in 2024: Saudi Arabia
Read @ANI Story | https://t.co/F152WcRRja#Hajj #SaudiArabia #Hajjpilgrimage pic.twitter.com/bKBLAS4DtJ
— ANI Digital (@ani_digital) June 24, 2024
- સાઉદી અરબમાં ગરમીનો કાળો કહેર
- અત્યાર સુધી 1301 હજ યાત્રીના મોત
- 98 ભારતીય નાગરિકના પણ મોત થયા
- આરોગ્ય મંત્રી ફહદ અલ-જલાજેલનો દાવો
- 83 ટકા લોકો યાત્રા માટે અધિકૃત નહોતા
- ‘મોટાભાગના મૃતક બીમારીથી પીડિત હતા’
- મક્કામાં ગરમીનો પારો 50 ડિગ્રીને પાર
2024માં 18.3 લાખથી વધુ લોકોએ હજ કરી હતી
સાઉદી હજ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2024 માં 1.83 મિલિયનથી વધુ મુસ્લિમોએ હજ કરી હતી, જેમાં 22 દેશોના 1.6 મિલિયનથી વધુ લોકો અને 2,22,000 સાઉદી નાગરિકો અને રહેવાસીઓનો સમાવેશ થાય છે. આ પહેલા પણ હજ યાત્રા દરમિયાન લોકોના મોતના સમાચાર આવ્યા છે, પરંતુ આ વખતે કારણો અલગ છે. ભૂતકાળમાં નાસભાગની ઘટનાઓ નોંધાઈ હતી અને રોગચાળો પણ ફેલાયો હતો. ‘જર્નલ ઑફ ઈન્ફેક્શન એન્ડ પબ્લિક હેલ્થ’માં એપ્રિલમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, ઓછી આવક ધરાવતા દેશોમાંથી લાખો લોકો દર વર્ષે હજ માટે આવે છે. જેમાંથી ઘણાને હજ પૂર્વેની આરોગ્ય સંભાળ સેવાઓ ઓછી કે નહીં મળે. એકઠા થયેલા લોકોમાં ચેપી રોગોનો ફેલાવો પણ મૃત્યુનું કારણ હતું.
આ પણ વાંચો – હજ યાત્રામાં 98 ભારતીયોના મોત, ભારત સરકારે આપી આ માહિતી
આ પણ વાંચો – Russia : ચર્ચ અને યહુદી ધર્મસ્થાન પર આતંકી હુમલો, 7ના મોત