Dr. Bharat Kanabar : રાજકોટના અગ્નિકાંડને લઈ ભાજપના વરિષ્ઠ નેતા ડો.ભરત કાનાબારનું દર્દ છલકાયું છે. તેમણે ટ્વીટ કરીને પોતાનું દર્દ વર્ણવતાં કહ્યું કે ખરા કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ છે અહીં….પ્રજાની દાઢમાંથી ફૂફાડાનું ઝેર કાઢી લીધું છે……અહીં પ્રજા રોજમદાર છે
પ્રજાની દાઢમાંથી ફૂંફાડાનું ઝેર જ કાઢી લીધું છે
ડો. ભરત કાનાબારે ટ્વીટ કરીને હૈયાવરાળ ઠાલવતાં કહ્યું કે આ દેશમાં લોકો જીવતા નથી પણ ખદબદે છે. પ્રજાની દાઢમાંથી ફૂંફાડાનું ઝેર જ કાઢી લીધું છે. 145 કરોડ છીએ પણ નાત જાતમાં વહેંચાયેલા છીએ..
તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ખરા કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ છે અહીં…કોન્ટ્રાક્ટરો છે પેટા ઠેકેદારો…ને પ્રજા રોજમદાર છે અહીં….
પ્રજા રોજમદાર છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ ભાજપના વરિષ્ઠ નેતાનું દર્દ છલકાતા યું છે અને તેમણે અધિકારી રાજ તરફ ટોણો માર્યો હોવાનું જણાઇ રહ્યું છે. તેમણે ટોણો મારતાં લખ્યું છે કે ખરા કોન્ટ્રાક્ટરો તો અહીં અધિકારીઓ છે અને પ્રજા રોજમદાર છે.
આ પણ વાંચો—— High Court: ‘શું અઢી વર્ષથી ઊંઘમાં હતા’ અગ્નિકાંડ મામલે રાજકોટ મનપાને હાઈકોર્ટની ફટકાર
આ પણ વાંચો—– રાજકોટ અગ્નિકાંડમાં IAS અને IPS અધિકારીનું કલાકો સુધી Interrogation
આ પણ વાંચો–– રાજકોટ TRP અગ્નિકાંડ મુદ્દે 6 અધિકારી સસ્પેન્ડ
આ પણ વાંચો—– Rajkot TRP Game Zone : અત્યાર સુધી શું થયું તે જાણો એક ક્લિક પર…!
આ પણ વાંચો—— TRP Game Zone Tragedy : હૈયું કંપાવે એવા હત્યાકાંડ બાદ રાજકોટ વેપારી મંડળનો મોટો નિર્ણય
આ પણ વાંચો—- ઉપલેટાના ધોબી પરિવારના 5 લોકોનો ઘટનાસ્થળ કે હોસ્પિટલમાં કોઈ નામોનિશાન નહીં!