+

PM Modi બેટ દ્વારકા પહોંચ્યા; મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ કર્યું સ્વાગત

PM Modi Dwarka: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના વતન ગુજરાત પધાર્યા છે. અહીં તેઓ અનેક વિકાસ કાર્યોની ગુજરાતીઓને ભેટ આપવાના છે. કાલે જામનગરમાં કાલે ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં…

PM Modi Dwarka: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના વતન ગુજરાત પધાર્યા છે. અહીં તેઓ અનેક વિકાસ કાર્યોની ગુજરાતીઓને ભેટ આપવાના છે. કાલે જામનગરમાં કાલે ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આજે દ્વારકાના જગત મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ તેઓ ગોમતીના નીરમાં ડૂબકી પણ લગાવશે. અહીં બનેલા ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન પણ કરવાના છે. મળતી વિગતો પ્રમાણે આ કેબલ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

PM નરેન્દ્ર મોદી બેટ દ્વારકા પહોંચી ગયા છે.અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું . PM નું મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. હવે પ્રધાનમંત્રી PM બેટ દ્વારકા દર્શને જવા રવાના છે.

52,250 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ

ઉલ્લેખનીય છે કે, આ ઓખા-બેટ દ્વારકા વચ્ચેનો આ સુદર્શન સેતુ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. તેની લંબાઈ વાત કરવામાં આવે તો 2.32 કિલોમીટરની છે. પ્રધાનમંત્રી આજે જગત મંદિર દ્વારકમાં પૂજા અર્ચના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં રૂ. 52,250 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેમાં આરોગ્ય, માર્ગ, રેલવે, ઉર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, પ્રવાસન જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. PM આજે રાજકોટ, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલાગીરી એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM નરેન્દ્ર મોદી નવી મુંદ્રા-પાનીપત પાઈપલાઈન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તેઓ રાજકોટ-ઓખા, રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજાળીયા રેલ વિદ્યુતીકરણ પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

PM Modi અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરવાના છે

ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન મોદી દ્વારકા પધાર્યા છે અહીં તેઓ અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરવાના છે. દ્વારકામાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો છે. સાંસ્કૃતિક નૃત્ય સાથે જનતા દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. અત્રે દ્વારકામાં દ્વારકાવાસીઓમાં PM મોદીને આવકારવા ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. રોડ શો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જગત મંદિરે શીશ ઝુકાવશે અને પૂજા-અર્ચના કરશે. દ્વારકાધીશ મંદિરમાં ધ્વજા ચડાવી અને પાદુકા પૂજન કરશે. વડાપ્રધાન મોદી ગોમતી કિનારે ડૂબકી લગાવશે.

આ પણ વાંચો: PM Modi Dwarka Visit: પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, દ્વારકા મંદિરમાં કરશે પૂજા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter