+

Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ખેતી નિયામકની કચેરીનો ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ

Forecast of Unseasonal Rain in Gujarat: ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 16 મે, 2024 સુધી ગુજરાત (Gujarat)ના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ,…

Forecast of Unseasonal Rain in Gujarat: ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 16 મે, 2024 સુધી ગુજરાત (Gujarat)ના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સંદેશો આપવામાં આવ્યો છે.

રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ

નોંધનીય છે કે, વરસાદના સમયે પાકરક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.

અત્યારે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો

આ સાથે વધુમાં જણાવ્યા પ્રમાણે, વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આમ, APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે..

સહાય માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો

તમને જણાવી દઇએ કે, જિલ્લા અધિકારી દ્વારા સહાય માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – 18001801551નો સંપર્ક કરવો, તેમ વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચો: Unseasonal rains: અડધા ગુજરાતમાં વરસાદી તોફાન, પાકને નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતાતૂર

આ પણ વાંચો: Aravalli: સરપંચ વિના રઝળી રહીં છે 138 ગ્રામ પંચાયતો, ચૂંટણી અભાવે ગ્રામજનો ભોગવી રહ્યા છે હાલાકી

આ પણ વાંચો: Ahmedabad : SG હાઇવે પર ઇકો ચાલકે સગીરને 200 મીટર ઢસડ્યો, થયું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે

Whatsapp share
facebook twitter