+

Alok Nath- ‘Me Too’ ચળવળે દમદાર અભિનેતાની કારકિર્દી રગદોળી

Alok Nath- હિન્દી સિનેમા અને ટીવી સિરિયલોમાં ‘સંસ્કારી બાબુજી’ તરીકે પ્રખ્યાત અભિનેતા. આજે તેમનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આલોકનાથનો જન્મ 10 જુલાઈ 1956ના રોજ બિહારના ખગરિયામાં થયો હતો. તેણે…

Alok Nath- હિન્દી સિનેમા અને ટીવી સિરિયલોમાં ‘સંસ્કારી બાબુજી’ તરીકે પ્રખ્યાત અભિનેતા. આજે તેમનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આલોકનાથનો જન્મ 10 જુલાઈ 1956ના રોજ બિહારના ખગરિયામાં થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત 1982માં ફિલ્મ ‘ગાંધી’થી કરી હતી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. ચાલો તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેમના જીવનની ન સાંભળેલી વાતો પર એક નજર કરીએ.

‘સંસ્કારી બાબુજી’ રોમેન્ટિક હીરો બન્યા

Alok Nathના પિતા ડૉક્ટર હતા અને તેઓ ઈચ્છતા હતા કે આલોક પણ ડૉક્ટર બને. પરંતુ કોલેજના અભ્યાસ દરમિયાન આલોકનાથને અભિનયમાં રસ પડવા લાગ્યો. આવી સ્થિતિમાં તે કોલેજના રૂચિકા થિયેટર ગ્રુપમાં જોડાયા. એ પછી તેમણે ત્રણ વર્ષ સુધી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં અભ્યાસ કર્યો.

વર્ષ 1980 માં, તેમણે ફિલ્મ ‘ગાંધી’ થી પોતાના કરિયરની શરૂઆત કરી. આ ફિલ્મમાં તેમનો રોલ નાનો હતો, પરંતુ આ ફિલ્મ દ્વારા જ તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ ‘ગાંધી’ પછી આલોક નાથ મુંબઈ આવ્યા, પરંતુ બીજી ફિલ્મ માટે તેમને સખત સંઘર્ષ કરવો પડ્યો. પાંચ વર્ષ સુધી તેમને બીજી કોઈ ફિલ્મ મળી નહીં. આ સમય દરમિયાન પૃથ્વી થિયેટરમાં નાદિરા બબ્બર સાથે 2 વર્ષ સુધી અભિનય કર્યો. તે જ સમયે, આલોક નાથને ફિલ્મ ‘મશાલ’માં એક નાનો રોલ મળ્યો જે તેમણે કર્યો.

આજે ભલે આલોક નાથ સંસ્કારી બાબુજી તરીકે ઓળખાય છે, પરંતુ તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં તેમણે રોમેન્ટિક હીરોની ભૂમિકા પણ ભજવી હતી.

1987માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કમાગ્નિ’માં આલોક નાથે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ સિવાય તેમણે ‘વિનાશક’, ‘ષડયંત્ર’ અને ‘બોલ રાધા બોલ’ જેવી ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી હતી. જોકે તેમને માત્ર નેગેટિવ રોલમાં જ પસંદ કરવામાં આવતા હતા.

આ કારણે આલોકનાથ અનામી બની ગયા

આ પછી આલોક નાથે ફિલ્મોમાં બાબુજીની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. તેઓ તેમના બાબુજીના રોલને કારણે પ્રખ્યાત થયા હતા. આલોક નાથ ‘હમ આપકે હૈ કૌન’, ‘મૈને પ્યાર ક્યૂં કિયા’, ‘હમ સાથ સાથ હૈ’. આ ફિલ્મોમાં તેમણે સંસ્કારી પિતાની ભૂમિકા ભજવી હતી.

માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ તેણે ઘણી સિરિયલોમાં Alok Nath પિતાની ભૂમિકા પણ ભજવી છે. वो रहने वाली महलों की’,, ‘ભારત એક ખોજ’, ‘બુનિયાદ ઔર સપના બાબુલ કા, બીદાઈ’. આ સિરિયલોએ આલોકનાથની સંસ્કારી છબીને સુધારવામાં મદદ કરી.

Alok Nath હાલ શોબિઝથી દૂર છે. હકીકતમાં, 2018 માં Me Too ચળવળ દરમિયાન, લેખક અને ફિલ્મ નિર્માતા વિનીતા નંદા અને ઘણી મહિલાઓએ આલોક નાથ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો સામે આવ્યા બાદ આલોક નાથને કામ મળતું બંધ થઈ ગયું અને તેઓ ફરી કોઈ ફિલ્મ કે શોમાં જોવા મળ્યા ન હતા. તે છેલ્લે 2019માં રિલીઝ થયેલી ફિલ્મ  ‘દે દે પ્યાર દે’માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો- Shilpa Shetty ને મનાવવા કુંદ્રાએ બિગબીના બંગલા સામે બંગલો ખરીદ્યો 

Whatsapp share
facebook twitter