+

BAPS Temple In Abu Dhabi : BAPS હિન્દુ મંદિરમાં ‘Omsiyaat’ કાર્યક્રમનું આયોજન, અનેક મોટી હસ્તીઓએ આપી હાજરી…

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં બનેલું પ્રથમ BAPS હિન્દુ મંદિર દરરોજ હેડલાઈન્સમાં રહે છે. જ્યાં એક મહિનામાં લાખો ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા. તે જ સમયે, પવિત્ર રમઝાન…

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં બનેલું પ્રથમ BAPS હિન્દુ મંદિર દરરોજ હેડલાઈન્સમાં રહે છે. જ્યાં એક મહિનામાં લાખો ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા. તે જ સમયે, પવિત્ર રમઝાન માસને લઈને અહીં આંતર-ધાર્મિક સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. Omsiyaat નામના આ કાર્યક્રમમાં માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ વિવિધ ધર્મના 200 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

આ મોટી હસ્તીઓએ આપી હાજરી…

BAPS મંદિરમાં યોજાનારા Omsiyaat કાર્યક્રમમાં સ્વામી બ્રહ્મવિહારીદાસ સાથે સહિષ્ણુતા અને સહઅસ્તિત્વના મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિદેશી વેપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝેઉદી અને સમુદાય વિકાસ વિભાગના અધ્યક્ષ ડૉ. મુગીર ખામિસ અલ ખૈલી સહિત અનેક અગ્રણી વ્યક્તિઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ દિવસે કરવામાં આવ્યું હતું આયોજન…

કાર્યક્રમ 2 એપ્રિલના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક ધાર્મિક સમુદાયના આગેવાનો પણ હાજર રહ્યા હતા. અબ્રાહમિક ફેમિલી હાઉસના રબ્બી જેફ બર્જર, રબ્બી લેવી ડચમેન, ચર્ચ ઓફ સાઉથ ઈન્ડિયા પેરિશના ફાધર લાલજી અને બાહ એઈ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધતામાં એકતા એ માત્ર સિદ્ધાંત નથી…

અબ્રાહમિક ફેમિલી હાઉસના રબ્બી જેફ બર્જરે જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતા એ માત્ર સિદ્ધાંત નથી … આ આજે રાત્રે અહીં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સમજણ અને આદર તરફની અમારી યાત્રાનું પ્રતીક છે. મંદિર લોકો માટે આશા લાવે છે. જ્યારે શેખ નાહયાનને BAPS હિંદુ મંદિરની અસર પર ભાર મૂકતાં કહ્યું હતું કે, ‘જ્યારે વિશ્વને અલગતાવાદ, અવિશ્વાસ, અસહિષ્ણુતા અને સંઘર્ષોથી ભય છે, ત્યારે આ મંદિર લોકોને આશા આપે છે. હું આ આંતરધર્મ કાર્યક્રમ માટે BAPS હિંદુ મંદિરની પ્રશંસા કરું છું. સમગ્ર માનવજાતના ભલા માટે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રેખાઓમાં સાથે મળીને કામ કરવાનો હિંદુ મંદિરનો દૃઢ સંકલ્પ ખરેખર પ્રશંસનીય છે.’

મંદિરના સ્વયંસેવકો દ્વારા ભોજન તૈયાર કરવામાં આવ્યું…

BAPS હિન્દુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે તમામ મહેમાનોનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સમાપન શાકાહારી ‘સુહૂર’ સાથે થયું હતું, જેમાં મંદિરના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવેલા અરબી અને ભારતીય ખોરાકનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો : Iran Israel Conflict : શું ત્રીજુ વિશ્વયુદ્ધ નજીક છે? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

આ પણ વાંચો : JoeBiden : રાષ્ટ્રપતિ બિડેને ઇજિપ્ત અને કતારને લખ્યો પત્ર,કહી આ વાત

આ પણ વાંચો : America Earthquake: જાપાન અને તાઈવાન બાદ અમેરિકાના શહેરોમાં વિનાશકારી ભૂકંપના આંચકા નોંધાયા

Whatsapp share
facebook twitter