+

ટૂંક સમયમાં જ રણબીર કપૂરનો વરઘોડો નીકળશે, લગ્નમાં આવી આલિયાની ખાસ મિત્ર અનુષ્કા

રણબીર કપૂર આજે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે લગ્ન કરીને તેને પોતાની પત્ની બનાવવા જઈ રહ્યો છે. લાંબા સંબંધો બાદ બંને આજે એટલે કે 14 એપ્રિલે લગ્ન કરી રહ્યા છે. આજે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને આજે બપોરે 2 થી 3 વાગે લગ્ન કરી શકે છે. બંનેના લગ્નની તસવીરો જોવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે. આજે સવારે બંનેની પ્રથમ હલ્દી સેરેમની યોજાઇ હતી. તો ગઇ કાલે આલિયા ભ
રણબીર કપૂર આજે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે લગ્ન કરીને તેને પોતાની પત્ની બનાવવા જઈ રહ્યો છે. લાંબા સંબંધો બાદ બંને આજે એટલે કે 14 એપ્રિલે લગ્ન કરી રહ્યા છે. આજે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને આજે બપોરે 2 થી 3 વાગે લગ્ન કરી શકે છે. બંનેના લગ્નની તસવીરો જોવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે. આજે સવારે બંનેની પ્રથમ હલ્દી સેરેમની યોજાઇ હતી. તો ગઇ કાલે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મહેંદી સેરેમની પૂર્ણ થઈ હતી. આ એક પ્રાઇવેટ ફંકશનમાં કપલના પરિવાર અને માત્ર થોડા ખાસ અંગત મિત્રો જ જોડાઇ રહ્યાં છે. બૉલીવુડની ઘણી ખ્યાતનાન હસ્તીઓ લગ્નમાં જોવાં મળી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમિર ખાન, અર્જુન કપૂર, સંજય લીલા ભણસાલી અને શાહરૂખ ખાન સહિત ઘણા લોકો વર્ષના સૌથી મોટા લગ્નના રિશેપ્શનમાં હાજરી આપવાના છે. આલિયા ભટ્ટના ચૂડા અને હલ્દી સેરેમની ટૂંક સમયમાં શરૂ થશે. લગ્નની તમામ વિધિ મુંબઈના વાસ્તુ એપાર્ટમેન્ટમાં થવા જઈ રહી છે. 
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ સંપન્ન થવા જઈ રહ્યા છે. ચૂડા અને હલ્દીની વિધિ પૂરી થતાં જ રણબીર કપૂર ઘોડી પર ચઢીને કૃષ્ણ રાજ બંગલાથી સીધો વાસ્તુ એપાર્ટમેન્ટ પહોંચવાનો છે. જો કે, લગ્નના સમાચાર આવ્યા બાદથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગાયબ છે. બંને લગ્ન સમારોહમાં વ્યસ્ત છે. અહેવાલ છે કે લગ્ન પછી 14 એપ્રિલે સાંજે 7 વાગ્યા પછી મીડિયા સામે પોઝ આપશે. 
રણબીર-આલિયાના આજે લગ્ન કરશે 
બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે લગ્ન કરવા જઈ રહ્યા છે. રણબીરની માતા નીતુ કપૂરે બુધવારે સત્તાવાર રીતે આની જાહેરાત કરી હતી. 13 એપ્રિલે મહેંદી સેરેમની માણ્યા બાદ હવે કપૂર અને ભટ્ટ પરિવાર લગ્નની તૈયારીમાં છે.
 
લગ્નનું મેનુ સામે આવ્યું
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિગતો સતત સામે આવી રહી છે. હવે લગ્નનું મેનુ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નલગ્ન માટે રસોઈ બનાવવા માટે દિલ્હીથી શેફને બોલાવવામાં આવ્યા છે. આ લગ્નમાં તંદૂરી ડિશથી લઈને વેજ અને નોન-વેજ સુધીના ઘણા વિકલ્પો હશે. એટલું જ નહીં, આલિયા ભટ્ટ માટે વેગન બર્ગરનો અલગ સ્ટોલ ઉભો કરવામાં આવશે. આલિયા અને તેની મિત્ર અનુષ્કા રંજન વેગન બર્ગરના ફેન છે. તો તેમના માટે ખાસ સ્ટોલલગાડવામાં આવ્યો છે.


આલિયાની ફ્રેન્ડ અનુષ્કા રંજન લગ્નમાં હાજરી આપવા માટે આવી 
આલિયા ભટ્ટની મિત્ર અને અભિનેત્રી અનુષ્કા રંજન લગ્નમાં હાજરી આપવા માટે રવાના થઈ ગઈ છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્ન માટે જતા સમયનો એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં તમે જોશો કે તે સાડી પહેરેલી જોવા મળી રહી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
નીતુ કપૂરે તેની ડાન્સ ટીમ સાથે ફોટો શેર કર્યો
નીતુ કપૂરે તેની ડાન્સ ટીમ સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ એ જ છે જેમની સાથે નીતુ ડાન્સ કરીને લગ્નમાં પૂરી મસ્તી કરવા જઈ રહી છે. ટીમમાં કરિશ્મા કપૂર, રીમા જૈન અને અનીશા જૈન પણ છે.કરિશ્મા કપૂરે આલિયા ભટ્ટની મહેંદી સમારંભની અંદરની તસવીર શેર કરી: કરિશ્માએ આલિયા ભટ્ટની મહેંદી સમારંભની અંદરની તસવીર શેર કરી
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની મહેંદી સેરેમનીનો અંદરનો ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં કરિશ્માના પગમાં મહેંદી લગાવવામાં આવી છે. તસવીર શેર કરતા અભિનેત્રીએ લખ્યું, ‘મને મહેંદી પસંદ છે’.
 નીતુ કપૂરે ઋષિ કપૂરના નામ પર મહેંદી લગાવી હતી
નીતુ કપૂર લગ્નના ફંક્શન વચ્ચે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે હવે તેના મહેંદી હાથનો ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. ફોટામાં દેખાઈ રહ્યું છે કે નીતુએ મહેંદી સાથે ઋષિ કપૂરનું નામ લખેલું છે. આના પરથી જાણવા મળે છે કે તે આ પ્રસંગે તેને ખૂબ મિસ કરી રહી છે.
નીતુ કપૂર અને રિદ્ધિમા પહોંચ્યા
નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર વરઘોડા પહેલા ફંક્શન માટે પહોંચી ગયા છે. આ દરમિયાન નીતુએ પીળા કલરનો સૂટ પહેર્યો છે અને રિદ્ધિમાએ સફેદ ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે. બંને ખુબ ખુશ દેખાઈ રહ્યા છે.
 નીતુ અને રિદ્ધિમાએ મહેંદી પરફોર્મન્સ આપ્યું હતું
અહેવાલો અનુસાર, રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે મહેંદી સેરેમનીમાં મહેંદી હૈ રચને વાલી, ધોલિડા, ક્યુટી પાઈ અને તેલુ લેકે જવાંગાના ગીતો પર ડાન્સ કર્યો હતો.

આલિયા ભટ્ટના લગ્ન પહેલા મહેશ ભટ્ટઃ લગ્ન વચ્ચે મહેશ ભટ્ટનું મોર્નિંગ વોક
આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ લગ્ન માટે ઘરેથી નીકળી ગયા છે. તે જ સમયે, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂરે પણ પહોચ્યાં હતાં. આ દરમિયાન મહેશ ભટ્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મોર્નિંગ વોક કરતો જોવા મળી રહ્યાં છે.

નીતુ કપૂરે ઋષિ કપૂરને યાદ કર્યા
જો કે નીતુ કપૂર ખૂબ જ ખુશ છે કારણ કે આજે તેની પ્રિય વ્યક્તિના લગ્ન છે, પરંતુ સાથે જ તે ભાવુક પણ છે કારણ કે તે ઋષિ કપૂરને મિસ કરી રહ્યાં છે. અહેવાલો અનુસાર, લગ્નના ફંક્શન દરમિયાન, પૂજા અને મહેંદી સેરેમની દરમિયાન નીતુએ ઋષિ કપૂરને યાદ કર્યા અને ભાવુક થઈ ગયા. કરણકે ઋષિ કપૂર પોતે ઈચ્છતા હતા કે રણબીર અને આલિયા જલ્દી લગ્ન કરે.

આલિયા અને રણબીર લગ્ન પછી અહીં જ રહેશે
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં વાસ્તુ એપાર્ટમેન્ટમાં રહે છે. બંને ફ્લેટ ટોપ અને બોટમમાં છે. લગ્ન પછી તરત જ બંને પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ જશે. લગ્ન પહેલા, આલિયા અને રણબીર નીતુ કપૂર એકસાથે વખત નવા ઘરની મુલાકાત લેતા જોવા મળ્યા છે.
 કરિશ્મા કપૂરે મહેંગી ફોટો શેર કર્યો 

કપૂર પરિવારે મહેંદી સેરેમનીમાં રંગ જમાવ્યો
નીતુ કપૂર સહિત આખો કપૂર પરિવાર આ સમયે વાસ્તુ એપાર્ટમેન્ટમાં પહોંચી ગયો છે. ગઈકાલે સાંજે આલિયાની મહેંદી સેરેમનીમાં બધાએ ખૂબ જ મસ્તી કરી હતી. આ ખાસ અવસર પર કપૂર પરિવારના લોકોએ પણ રણબીર અને આલિયાના ગીતો પર જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું.
 સવારે 11 વાગ્યે શરૂ થશે હલ્દી સેરેમની
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો પરિવાર વાસ્તુ એપાર્ટમેન્ટ પહોંચી ગયો છે. અહીં હલ્દી સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. આલિયા-રણબીરની હળદરની વિધિ સવારે 11 વાગ્યાથી શરૂ થઇ હતી. થોડા કલાકો બાદ આલિયા અને રણબીરના લગ્નનું મુહૂર્ત છે.

અમિતાભ બચ્ચનને કપલને અભિનંદન પાઠવ્યાં
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને રણબીર કપૂર અને આલિયા ભટ્ટને તેમના લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે. અમિતાભે ફિલ્મ બ્રહ્માસ્ત્રનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રણબીર અને આલિયા રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો ફિલ્મ બ્રહ્માસ્ત્રના કેસરિયા ગીતનો છે.
આ જગ્યાએ રણબીર-આલિયાના લગ્નનું રિસેપ્શન થશે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના વેડિંગ રિસેપ્શનને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. આ પહેલા આ કપલ તાજ કોલાબા ખાતે વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવા જઈ રહ્યું હતું. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, હવે રણબીર અને આલિયા વાસ્તુ એપાર્ટમેન્ટમાં જ રિસેપ્શન પાર્ટી આપશે.
રણબીર કપૂર આલિયા ભટ્ટ વેડિંગ મુહૂર્ત
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન વાસ્તુ એપાર્ટમેન્ટમાં થશે. લગ્નના સમય પરથી પડદો હટાવી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે (14 એપ્રિલ) આલિયા અને રણબીર દિવસમાં સાત ફેરા લેશે. લગ્નનો સમય 2 થી 3 વાગ્યાનો છે.
ગુરુ, 14 એપ્રિલ 2022 09:20 AM
 રણબીર કપૂર ટૂંક સમયમાં ઘોડી પર ચઢશે .રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ સંપન્ન થવા જઈ રહ્યા છે. ચૂડા અને હલ્દીની વિધિ પૂરી થતાં જ રણબીર કપૂર ઘોડી પર ચઢીને કૃષ્ણ રાજ બંગલાથી સીધો વાસ્તુ એપાર્ટમેન્ટ પહોંચવાનો છે.
Whatsapp share
facebook twitter