આવતીકાલે આખું વિશ્વ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે તૈયાર છે. ભગવાન રામ પોતાની નગરી અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આખું ભારત હાલ ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.આ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સેંકડો અધિકારીઓ હાજરી આપે તેવી શક્યતા છે. ટ્રસ્ટે ઉજવણી માટે તમામ સંપ્રદાયોના 4,000 સંતોને પણ આમંત્રિત કર્યા છે.
જગમગી ઉઠયું માં સીતાનું જનકપુરધામ
તે જ સમયે માતા સીતાના જન્મસ્થળ એવા નેપાળના જનકપુરધામમાં ધામધૂમથી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જનકપુર ધામમાં જાણે દિવાળી આવી હોય તેવી રીતે ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં ચોવીસ કલાક ભગવાન રામ અને સીતાના સ્તોત્રો ગુંજી રહ્યા છે. જાનકી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. દરેક જનકપુરધામવાસીના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ જોઈ શકાય છે.
જનકપુરધામના લોકો 24 કલાક રામનામમાં લીન
જનકપુરધામ
દેવી સીતાની નગરીમાં ઉત્સવોની વચ્ચે, શહેરભરમાં લાઉડ સ્પીકર્સ ‘જય શ્રી રામ’ ના નારાઓ તેમજ ‘રામ લલ્લા’ને સમર્પિત ગીતોની જાહેર સ્ક્રીનિંગ સાથે ગુંજી રહ્યા છે. જનકપુરના રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા મહાબીર મંદિરમાં શનિવારે ‘અસ્તાજામ’ શરૂ થયો હતો, જેમાં ચોવીસ કલાક રામ ભજનો ગાવામાં આવ્યા હતા. ભક્તોએ તેમના પર રામના નારા લખેલા સ્કાર્ફ પહેર્યા હતા.
આ પણ વાંચો — Ram Lalla: રામ લલ્લાની જૂની મૂર્તિના દર્શન પર લાગી રોક, પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર 48 કલાક બાકી