+

ચાર્ટર્ડ પ્લેનમાં સુરત આવશે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી..! ગ્રાન્ડ એન્ટ્રીની તૈયારી

ચાર્ટર્ડ પ્લેનમાં સુરત આવશે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં બાબા બાગેશ્વરની ગ્રાન્ડ એન્ટ્રીની તૈયારી આયોજક સમિતિએ તૈયાર કરી રૂપરેખા 26 અને 27 મેના રોજ સુરતમાં દિવ્ય દરબાર લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં આયોજન 26…
  • ચાર્ટર્ડ પ્લેનમાં સુરત આવશે ધીરેન્દ્ર શાસ્ત્રી
  • સુરતમાં બાબા બાગેશ્વરની ગ્રાન્ડ એન્ટ્રીની તૈયારી
  • આયોજક સમિતિએ તૈયાર કરી રૂપરેખા
  • 26 અને 27 મેના રોજ સુરતમાં દિવ્ય દરબાર
  • લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં આયોજન
  • 26 મેના રોજ ચાર્ટર્ડ પ્લેનથી સુરત આવશે
બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં દિવ્ય દરબાર યોજાવાના છે. ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે લોકોમાં અનેક પ્રકારની ઉત્કંઠા જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 26 તારીખે ચાર્ટડ પ્લેનમાં સુરત પહોંચશે.
બાબા બાગેશ્વરની ગ્રાન્ડ એન્ટ્રીની તૈયારી
બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગુજરાતમાં યોજાનારા દિવ્ય દરબારની આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. સુરતમાં બાબા બાગેશ્વરની ગ્રાન્ડ એન્ટ્રીની તૈયારી કરવામાં આવી રહી છે. હજારો લોકો બાબાને સાંભળવા અને નિહાળવા સ્થળ પર પહોંચે તેવી શક્યતા છે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 26 મેના રોજ ચાર્ટર્ડ પ્લેનથી સુરત આવશે
26 અને 27 મેના રોજ સુરતમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં આયોજન કરાઇ રહ્યું છે અને તેના માટે  આયોજક સમિતિએ રુપરેખા તૈયાર કરી દીધી છે. મળતી માહિતી મુજબ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 26 મેના રોજ ચાર્ટર્ડ પ્લેનથી સુરત આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter