+

પક્ષ પલટો કરનારા MLA ને હવે નહીં મળે Pension, જાણો પૂરી વિગત

પક્ષપલટુઓને પેન્શન નહીં રાજકારણમાં સ્થિરતા માટે હિમાચલ પ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય પક્ષપલટુઓ માટે પેન્શનનો દરવાજો બંધ Himachal Pradesh : હિમાચલ પ્રદેશમાં હવે પક્ષપલટા વિરોધી કાયદા (anti-defection law) હેઠળ ગેરલાયક ઠેરવાયેલા…
  • પક્ષપલટુઓને પેન્શન નહીં
  • રાજકારણમાં સ્થિરતા માટે હિમાચલ પ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય
  • પક્ષપલટુઓ માટે પેન્શનનો દરવાજો બંધ

Himachal Pradesh : હિમાચલ પ્રદેશમાં હવે પક્ષપલટા વિરોધી કાયદા (anti-defection law) હેઠળ ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્યોને પેન્શન (Pension) આપવામાં નહીં આવે. બુધવારે, હિમાચલ પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ (Chief Minister Sukhwinder Singh Sukhu) એ હિમાચલ પ્રદેશ વિધાનસભા (સભ્યોના ભથ્થાં અને પેન્શન) સુધારો બિલ, 2024 રજૂ કર્યું હતું, જેનો હેતુ પક્ષપલટા પર નિયંત્રણ લાવવાનો છે.

હવે હિમાચલ પ્રદેશમાં પક્ષ બદલવાની કિંમત ચૂકવવી પડશે

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરેલા સભ્યો માટે પેન્શન લાભો રોકવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશ વિધાનસભા (સભ્યોનું ભથ્થાં અને પેન્શન) સુધારો બિલ 2024 મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બિલ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ બંધારણની દસમી અનુસૂચિ (વિરોધી કાયદો) હેઠળ કોઈપણ સમયે ગેરલાયક ઠરે છે, તો તે કાયદા હેઠળ પેન્શન મેળવવા માટે હકદાર રહેશે નહીં. આ વર્ષની શરૂઆતમાં, કોંગ્રેસના 6 ધારાસભ્યો-સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજીન્દર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, ચેતન્ય શર્મા અને દેવિન્દર કુમાર ને 2024-25નું બજેટ પસાર થવા અને ચર્ચા દરમિયાન મતદાનથી દૂર રહીને પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કરવા બદલ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા.

જોકે સુધીર શર્મા અને ઈન્દર દત્ત લખનપાલે પેટાચૂંટણી દ્વારા તેમની બેઠકો પાછી મેળવી હતી, અન્ય 4 ફરીથી ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. આ 6 ધારાસભ્યોએ 27 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને પણ સમર્થન આપ્યું હતું. સંશોધનનો ઉદ્દેશ અને કારણોનું વિવરણ બિલની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે, જેમા પક્ષપલટોને નિરુત્સાહિત કરવા, બંધારણીય ઉલ્લંઘનોને રોકવા, લોકોના આદેશનું રક્ષણ કરવા અને લોકશાહી મૂલ્યોનું જતન કરવા માટેની 1971ના કાયદામાં જોગવાઈઓની ગેરહાજરી ટાંકવામાં આવી છે.

અગાઉ પક્ષપલટોને પણ પેન્શન મળતું હતું

આ નવા કાયદા પહેલા પાર્ટી બદલનારા ધારાસભ્યોને પેન્શન મળતું હતું. આ કાયદો પાર્ટી સ્વિચિંગને રોકવા અને રાજકીય નૈતિકતાને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવ્યો છે. આ પગલું તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

આ પણ વાંચો:  Haryana Assembly Elections : ભાજપ-કોંગ્રેસને પડકાર આપશે JJP-ASP ગઠબંધન, 19 ઉમેદવારોની યાદી કરી જાહેર

Whatsapp share
facebook twitter