Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chhattisgarh : કોંગ્રેસ ગરીબ કલ્યાણમાં પાછળ, ભ્રષ્ટાચારમાં આગળ

03:56 PM Sep 15, 2023 | Hiren Dave

આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, તે પહેલા પીએમ મોદી ચૂંટણી રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. આજે પીએમ મોદી સવારે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે છત્તીસગઢના રાયગઢમાં રોડ શો કર્યો હતો. ત્યાર બાદ વિજય શંખનાદ રેલીને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ભગવાન રામ શબરીને મા કહીને તેના એંઠા બોર ખાવાનો આનંદ લે છે. આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે મેં તમને ગેરંટી આપી હતી કે હું દેશના ગરીબોને સશક્ત બનાવીશ. માત્ર પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા છે. આવું એટલા માટે થયું કારણ કે ભાજપ સરકારે ગરીબોના હિતમાં યોજનાઓ બનાવી હતી.