Jammu and Kashmir : જમ્મુના કઠુઆ (Jammu’s Kathua) માં સેનાના જવાનો (Army Soldiers) પર આતંકી હુમલો (Terrorist Attack) થયો છે, જેમાં 4 જવાન શહીદ (martyred) થયા છે. આ માહિતી સોમવારે સાંજે સામે આવી હતી. આતંકીઓએ સેનાના વાહનને નિશાન (Terrorists targeted an army vehicle) બનાવી આ હુમલો (Attack) કર્યો હતો. અગાઉ જાણવા મળ્યું હતું કે આ હુમલામાં 4 જવાનો ઘાયલ (Injured) થયા છે. મોડી સાંજે મળેલી નવી માહિતી મુજબ, આ હુમલામાં 4 જવાનો શહીદ થયા છે. આ ઘટના દરમિયાન 4 અન્ય જવાનો ઘાયલ પણ થયા છે, જેમની સારવાર આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘાયલ થયેલા જવાનોમાં 2 જવાનોની હાલત ગંભીર છે.
Jammu and Kashmir
કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 જવાનો શહીદ
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સોમવારે આતંકીઓએ ભારતીય સેનાના કાફલા પર અચાનક હુમલો કર્યો હતો. આતંકીઓ દ્વારા અચાનક શરૂ થયેલા ગોળીબાર બાદ આપણા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. ઘટના સ્થળેથી સેનાના વાહનની એક તસવીર પણ સામે આવી છે, જેમાં ફાયરિંગને કારણે તે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યું છે. હુમલા બાદ ઘાટીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. બંને તરફથી થયેલા ગોળીબારમાં સેનાના 4 જવાન શહીદ થયા હતા અને 4 ઘાયલ થયા હતા. આ ઘટના જિલ્લાના માછેડી વિસ્તારમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તાર ભારતીય સેનાના 9 કોર્પ્સ હેઠળ આવે છે. હાલમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે. તેમજ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બાબતે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
સેનાના કાફલા પર ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યો
આતંકવાદીઓએ માછેડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલા સેનાના વાહન પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યો. આના પર સેનાએ પણ ગોળીબાર કર્યો હતો. બંને તરફથી ખૂબ મારપીટ થઈ હતી, જેમાં સેનાના 4 જવાન શહીદ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ ફરાર થઈ ગયા હતા. વધારાના સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે.
કુલગામમાં સુરક્ષાદળોની મળી હતી મોટી સફળતા
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા કુલગામ જિલ્લામાં આતંકીઓ અને જવાનો વચ્ચે બે એન્કાઉન્ટર થયા હતા. આ દરમિયાન કુલ 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા. એલિટ પેરા યુનિટના લાન્સ નાઈક પ્રદીપ કુમાર અને રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયનના કોન્સ્ટેબલ પ્રવીણ જંજલ પ્રભાકર મોડરગામ અને ચિન્નીગામ ગામમાં થયેલા એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક આરઆર સ્વૈને કહ્યું કે આતંકવાદીઓની હત્યા સુરક્ષા દળો માટે એક મોટો સીમાચિહ્નરૂપ છે, કારણ કે તે સુરક્ષા વાતાવરણને મજબૂત બનાવશે. સુરક્ષાને મજબૂત કરવા માટે આ સફળ કામગીરી ખૂબ જ અર્થપૂર્ણ છે. આ ઓપરેશન્સ એ સંદેશ પણ આપે છે કે લોકો આતંકવાદને કારણે વધુ રક્તપાત ઇચ્છતા નથી.
આ પણ વાંચો – Jammu and Kashmir : કબાટમાં બંકર અને ગુપ્ત દરવાજો, આ રીતે છુપાયા હતા આતંકીઓ, જુઓ Video
આ પણ વાંચો – J&K : કુલગામમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, 6 આતંકી ઠાર માર્યા, 2 જવાન શહીદ