+

Mansukh Mandaviya in Rajkot : વીરપુરમાં જલારામ બાપાના દર્શન, કાગવડથી ગોંડલ પગપાળા યાત્રા

કેન્દ્રીય આરોગ્યમંત્રી અને પોરબંદર (Porbandar) લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયા આજે રાજકોટની (Mansukh Mandaviya in Rajkot) મુલાકાતે છે. રાજકોટ જિલ્લાના વીરપુર (Veerpur), કાગવડ અને ગોંડલમાં (Gondal) વિવિધ કાર્યક્રમ થકી તેઓ શક્તિ…

કેન્દ્રીય આરોગ્યમંત્રી અને પોરબંદર (Porbandar) લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયા આજે રાજકોટની (Mansukh Mandaviya in Rajkot) મુલાકાતે છે. રાજકોટ જિલ્લાના વીરપુર (Veerpur), કાગવડ અને ગોંડલમાં (Gondal) વિવિધ કાર્યક્રમ થકી તેઓ શક્તિ પ્રદર્શન કરીને લોકસભા માટે ચૂંટણી પ્રચાર (Lok Sabha Election) કરશે. મનસુખ માંડવિયા આજે વીરપુર જલારામ બાપાના દર્શન કર્યા બાદ કાગવડ ખોડલધામ પગપાળા દર્શન માટે જશે. તેમની સાથે ભરત બોધરા (Bharat Bodra), જયેશ રાદડિયા (Jayesh Radadiya), રમેશ તિલાળા અને મહેન્દ્ર પાડલિયા જોડાયા છે.

પોરબંદર (Porbandar) લોકસભા ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટની (Mansukh Mandaviya in Rajkot) મુલાકાતે છે. આજે સવારે કેન્દ્રીય આરોગ્યમંત્રી રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધાના ધરે પહોંચ્યા હતા અને ચા-પાણી કર્યા બાદ જલારામ મંદિરે (Jalaram Bapa) પહોંચીને દર્શન કર્યા હતા. તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, ધારાસભ્ય રમેશ તિલાળા (Ramesh Tilaala) અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા (Mahendra Padalia) પણ છે.

મનસુખ માંડવિયાએ વીરપુરથી કાગવડ ખોડલધામ (Kagawad Khodaldham) પગપાળા યાત્રા પણ શરૂ કરી છે. દિવસ દરમિયાન તેઓ કાગવડથી ગોંડલ (Gondal) ખાતે અલગ-અલગ મંદિરમાં દર્શન કરશે. આ સાથે તેઓ ચૂંટણી પ્રચાર પણ કરશે. માહિતી છે કે આજે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jairaj Singh Jadeja) સાથે બેઠક કરી શકે છે. ગોંડલ જામવાડીથી બાઈક રેલીના માધ્યમથી સાથે મનસુખ માંડવિયાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

આ પણ વાંચો – ICAI : CA ના વિદ્યાર્થી માટે મહત્ત્વના સમાચાર, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે થઈ આ જહેરાત!

આ પણ વાંચો – MP Congress : લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે

આ પણ વાંચો – PM Modi Visit Assam: PM મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં કરી હાથીની સવારી, જુઓ Video

Whatsapp share
facebook twitter