Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શિવલિંગને ફુવારો ગણાવનારા મહંત ગણેશ શંકરે છોડી દીધું પદ, કહ્યું- મારી સાથે અન્યાય થયો

08:01 PM Apr 17, 2023 | Vipul Pandya

શિવલીંગને ફુવારો ગણાવનારા શ્રી કાશી કરવત મંદિરના મહંત ગણેશ શંકર ઉપાધ્યાયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહંતે કહ્યું કે, તેમની સામે ખોટો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, જેના કારણે તેણે દુઃખી થઈને આ નિર્ણય લીધો છે.
જ્ઞાનવાપી કેસને લઈને સોમવારે સુનાવણી પહેલા એક મામલો સામે આવ્યો છે. શિવલીંગને ફુવારો ગણાવનારા શ્રી કાશી કરવત મંદિરના મહંત ગણેશ શંકર ઉપાધ્યાયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહંતે કહ્યું કે, તેમની સામે ખોટો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, જેના કારણે તેણે દુઃખી થઈને આ નિર્ણય લીધો છે.
પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગણેશ શંકર ઉપાધ્યાયે મહંત પદની જવાબદારી તેમના નાના ભાઈને સોંપી હતી અને કહ્યું હતું કે તેઓ દુષ્ટ ચક્રનો શિકાર બન્યા છે, જેના કારણે મેં મહંત પદ છોડી દીધું છે. હકીકતમાં, થોડા દિવસો પહેલા ગણેશ શંકર ઉપાધ્યાયે એક ટીવી ચેનલને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદના સર્વેમાં મળેલી શિવલીંગ જેવી આકૃતિ શિવલિંગ નથી, પરંતુ એક ફુવારો છે. તેણે કહ્યું કે અમે તેને બાળપણથી જોતા આવ્યા છીએ. સેંકડો વખત ત્યાં ગયેલો છું. 
મહંતના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયેલો છે. જ્યારે વીડિયો સામે આવ્યો ત્યારે શિવલીંગ કહેનારા લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે, જ્યારે ફુવારો કહેનારાઓ કાશી કરવત મંદિરના મહંતના નિવેદનને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાની માંગ કરી રહ્યા છે.
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં કોર્ટ કમિશનરની કાર્યવાહી દરમિયાન રેકોર્ડ કરાયેલા વીડિયોગ્રાફ્સ અને ફોટોગ્રાફ્સમાં શું છે તે 30 મે સોમવારે જાહેર થશે. બંને પક્ષકારોને એક જ દિવસે એક નકલ આપવામાં આવશે. શુક્રવારે  નકલ સોંપવાનું નક્કી થયું હતું પરંતુ ટેકનિકલ કારણોસર આપી શકાયું ન હતું. દરમિયાન તેના દુરુપયોગની શક્યતાઓ પણ ઊભી થઈ છે. આ અંગે બંને પક્ષકારોએ જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરી હતી.