LG : આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના મતદારો ધરાવતા વિસ્તારોમાં ધીમા મતદાન માટે કહેવામાં આવ્યું હોવાનો દિલ્હી સરકારના મંત્રી આતિષીએ આરોપ લગાવ્યો છે. એલજી (LG) વીકે સક્સેનાએ આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકાર પર લગાવેલા આ આરોપ પર આકરી પ્રતિક્રિયા આપી છે. દિલ્હી સરકારના મંત્રી આતિષીએ કરેલા દાવાને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જવાબ આપતાં એલજીએ મુખ્યમંત્રી કેજરીવાલ પર કટાક્ષ કર્યો અને ખોટા આરોપો લગાવવા બદલ મંત્રી આતિષી સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.
તમે આદત બનાવી દીધી છે, ઓ કેજરીવાલ સાહેબ
એક્સ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જવાબ આપતા એલજીએ લખ્યું, ‘તમે આદત બનાવી દીધી છે, ઓ કેજરીવાલ સાહેબ, એ જ સ્થિતિમાં જીવવું, બસ રડતા રહેવું! ચૂંટણીના આગલા દિવસે એક મંત્રી દ્વારા બંધારણીય સંસ્થા પરના ખોટા અને અન્યાયી નિવેદનની અમે કડક નોંધ લીધી છે, જેને તમે પણ સમર્થન આપ્યું છે.
आदत ही बना ली है आप ने तो ऐ केजरीवाल साहब,
जिस हाल मे रहना, बस रोते हुए रहना!
I have taken a stern view of this unwarranted & false statement on the eve of election against a constitutional authority by a Minister, endorsed by you. https://t.co/7sPWH2HwLG— LG Delhi (@LtGovDelhi) May 24, 2024
એલજીએ આ દાવાને મતદારોને ગેરમાર્ગે દોરનાર અને લોકશાહીને નુકસાનકર્તા ગણાવ્યા
અન્ય એક ટ્વીટમાં એલજીએ આ દાવાને મતદારોને ગેરમાર્ગે દોરનાર અને લોકશાહીને નુકસાનકર્તા ગણાવ્યા છે. તેમજ કાર્યવાહી કરવાની વાત કરી હતી. આતિશી વિરુદ્ધ કાર્યવાહીની જાહેરાત કરતા એલજીએ લખ્યું, ‘આ અયોગ્ય નિવેદન અસ્વીકાર્ય છે અને મતદારોને ગેરમાર્ગે દોરીને લોકશાહીને નષ્ટ કરવા માટે આવા વાહિયાત અને બનાવટી દાવાઓ કરવામાં આવે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આતિશીએ આરોપ લગાવ્યો હતો
વાસ્તવમાં, શનિવારે વરિષ્ઠ AAP નેતા અને દિલ્હી સરકારમાં સૌથી વધુ મંત્રાલયો ધરાવે છે, તે મંત્રી આતિશી એ LG પર આરોપ લગાવ્યો કે તેઓ ઇન્ડી ગઠબંધનને ટેકો આપતા વિસ્તારોમાં ધીમા મતદાનનો આદેશ આપે છે. આતિશીએ લખ્યું, ‘માહિતી મળી છે કે આજે એલજીએ દિલ્હી પોલીસને એવા વિસ્તારોમાં વોટિંગ ધીમી કરવાનો આદેશ આપ્યો છે જ્યાં ઇન્ડી ગઠબંધનના મતદારો મોટી સંખ્યામાં છે જેથી લોકોને વોટ નાખવામાં મુશ્કેલી પડે. વહીવટીતંત્ર દ્વારા ભાજપને જીતાડવાનો આવો કોઈપણ પ્રયાસ ગેરકાયદેસર, બિન લોકશાહી અને ગેરબંધારણીય છે. અને હું આશા રાખું છું કે ચૂંટણી પંચ આ અંગે સંજ્ઞાન લેશે અને આવા કોઈપણ પ્રયાસો અટકાવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેને શેર કરીને લખ્યું, ‘આ ચોંકાવનારું છે. ચૂંટણી પંચે દિલ્હીમાં સુચારુ મતદાન સુનિશ્ચિત કરવું જોઈએ.