+

Lok Sabha Election 2024 ના પ્રથમ 4 તબક્કામાં કેટલું મતદાન થયું? ECI એ જાહેર કર્યા આંકડા…

લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પ્રથમ ચાર તબક્કામાં કુલ મતદાન 66.95 ટકા નોંધાયું છે. ચૂંટણી પંચે ગુરુવારે આ માહિતી આપી. પંચે કહ્યું કે લગભગ 97 કરોડ નોંધાયેલા મતદારોમાંથી 45.1…

લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પ્રથમ ચાર તબક્કામાં કુલ મતદાન 66.95 ટકા નોંધાયું છે. ચૂંટણી પંચે ગુરુવારે આ માહિતી આપી. પંચે કહ્યું કે લગભગ 97 કરોડ નોંધાયેલા મતદારોમાંથી 45.1 કરોડ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પંચે નિવેદનમાં જણાવ્યું કે, મતદારોને આગામી તબક્કામાં મતદાન કરવા માટે મોટી સંખ્યામાં બહાર આવવા હાકલ કરી હતી. તેમના મતે 13 મેના રોજ યોજાયેલા ચોથા તબક્કામાં અપડેટ થયેલા મતદાન 69.16 ટકા હતું જે 2019 ની સંસદીય ચૂંટણીના સમાન તબક્કા કરતાં 3.65 ટકા વધુ છે.

કેટલા તબક્કામાં કેટલું મતદાન થયું?

લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)માં ત્રીજા તબક્કાના મતદાન માટે અપડેટ થયેલા મતદાનનો આંકડો 65.68 ટકા હતો. 2019 ની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં 68.4 ટકા મતદાન થયું હતું. 26 એપ્રિલે યોજાયેલી ચૂંટણીના બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું હતું, જ્યારે 2019 ના બીજા તબક્કામાં 69.64 ટકા મતદાન થયું હતું.

ચૂંટણી પંચે શું કહ્યું?

વર્તમાન સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66.14 ટકા મતદાન નોંધાયું હતું. 2019 ની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 69.43 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચે કહ્યું કે, સંસદીય ચૂંટણીના બાકીના ત્રણ તબક્કામાં મતદારોને માહિતગાર કરવા, પ્રોત્સાહિત કરવા અને સુવિધા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પગલાં લેવા જણાવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, ‘પંચ ભારપૂર્વક માને છે કે ભાગીદારી અને સહકાર મતદાર જાગૃતિ કાર્યક્રમના આવશ્યક આધારસ્તંભ છે. કમિશનની વિનંતી પર વિવિધ સંસ્થાઓ, પ્રભાવશાળી લોકો અને સેલિબ્રિટી પોતપોતાની રીતે ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છે તે જોવું ખરેખર આનંદદાયક છે.

કુલ 379 બેઠકો પર મતદાન થયું હતું…

લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પ્રથમ ચાર તબક્કામાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 379 બેઠકો પર મતદાન થયું હતું. કુમાર કહે છે કે ઊંચું મતદાન એ ભારતીય મતદાતાઓ તરફથી વિશ્વને ભારતીય લોકશાહીની તાકાત વિશે સંદેશ હશે. તેમણે મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો : NIA : આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી, જૈશ-એ-મોહમ્મદના ટોચના આતંકીની મિલકતો જપ્ત…

આ પણ વાંચો : UP : 10 વર્ષ પહેલા જે અશક્ય હતું તે હવે શક્ય બન્યું, SP એ પછાત વર્ગો સાથે છેતરપિંડી કરી છે – PM મોદી

આ પણ વાંચો : UP : PM મોદીએ ભદોહીમાં SP પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- પહેલા માફિયા રાજ ચાલતું હતું પરંતુ હવે…

Whatsapp share
facebook twitter