+

Cabinet : આજે અંતિમ મહોર લાગશે નવા મંત્રીઓના નામ પર

Cabinet : નરેન્દ્ર મોદી 9 જૂન, રવિવારે ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે. PM મોદી સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરે તે પહેલા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના નવા ચૂંટાયેલા સાંસદ…

Cabinet : નરેન્દ્ર મોદી 9 જૂન, રવિવારે ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે. PM મોદી સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરે તે પહેલા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના નવા ચૂંટાયેલા સાંસદ કેબિનેટ (Cabinet) મંત્રીઓની યાદીને અંતિમ રૂપ આપવા માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે જેમાં કયા મંત્રીઓ શપથ લેશે તે નક્કી કરવામાં આવશે. રવિવારે સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ મોદી અને તેમના નવા કેબિનેટ સભ્યોના શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહરલાલ નેહરુ બાદ પીએમ મોદી ત્રીજા વડાપ્રધાન બાદ પીએમ પદના શપથ લેનારા બીજા વડાપ્રધાન હશે. જો કે જે સમાચાર મળી રહ્યા છે કે ટીડીપી મંત્રીમંડળમાં સામેલ નહીં થાય. ટીડીપીએ આંધ્રપ્રદેશના વિકાસના કામમાં મદદ કરવાનું જણાવ્યું છે.

એનડીએની આજની બેઠક મહત્વની છે

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 240 બેઠકો જીતી હતી, પરંતુ બહુમતીના આંકડાથી 32 બેઠકો ઓછી પડી હતી. હવે ચૂંટણીમાં બહુમતીથી દૂર ભાજપ ચાર સહયોગીઓના સમર્થન સાથે NDA ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહી છે. તે ચાર મુખ્ય પક્ષો એન ચંદ્રબાબુ નાયડુની ટીડીપી છે, જેણે 16 બેઠકો જીતી છે, નીતિશ કુમારની જેડીયુ, જેણે 12 બેઠકો જીતી છે, એકનાથ શિંદેની શિવસેના, જેણે 7 બેઠકો જીતી છે અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી-રામ વિલાસ, જેણે 5 બેઠકો જીતી છે. શનિવારની એનડીએની બેઠકમાં નક્કી કરવામાં આવશે કે કયા સહયોગીને કેટલી કેબિનેટ બેઠકો મળી શકે છે.

નીતિશ અને નાયડુ કિંગમેકર

ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ અને જેડીયુના નીતિશ કુમાર બંને ભાજપની આગેવાની હેઠળના એનડીએ માટે કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે અને બંને નેતાઓએ ગઠબંધનના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને જાહેરમાં સ્વીકાર્યા છે. તેમણે પીએમ મોદીને લેખિત સમર્થન પણ આપ્યું છે.

ભાજપ સાથે શું ડીલ થઈ?

હવે જોવાનું એ રહે છે કે ભાજપ અને તેના બે મુખ્ય સાથી પક્ષો – ટીડીપી અને જેડી (યુ) વચ્ચે કેબિનેટ મંત્રી પદ માટે શું વાતચીત અને શું ડીલ થાય છે. ચાર સમર્થક રાજકીય પક્ષો કેન્દ્રમાં મુખ્ય હોદ્દા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને ચિરાગ પાસવાનની એલજેપી પણ માંગ કરી રહી છે.

વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પણ મજબૂત છે

દરમિયાન, ઇન્ડિયા એલાયન્સે આ લોકસભા ચૂંટણીમાં ભાજપને સખત પડકાર આપ્યો હતો અને તમામ એક્ઝિટ પોલને ફગાવીને જંગી જીત મેળવી હતી. 2014માં ‘મોદી લહેર’ સત્તામાં આવ્યા બાદ વિપક્ષ પહેલીવાર આટલો મજબૂત દેખાઈ રહ્યો છે. વિપક્ષી ગઠબંધનને કુલ 232 બેઠકો મળી હતી. પરંતુ તે બહુમતીથી પણ ઘણી ઓછી હતી, એટલે કે 272માંથી 40 બેઠકો ઓછી. આ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી જૂથ ઈન્ડિયા એલાયન્સનું નેતૃત્વ કરતી કોંગ્રેસે 328 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 99 બેઠકો જીતી હતી.

આ પણ વાંચો—— NDA ગઠબંધને રાષ્ટ્રપતિને મળીને કર્યો સરકાર રચવાનો…

Whatsapp share
facebook twitter