આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા પંજાબમાં આદમ આદમી પાર્ટીને બેવડો ફટકો પડ્યો છે. જલંધરના સાંસદ સુશીલ કુમાર રિંકુ અને જલંધર પશ્ચિમના ધારાસભ્ય શીતલ અંગુરાલ BJP માં જોડાયા છે. તેમણે દિલ્હી હેડક્વાર્ટરમાં BJP નું સભ્યપદ લીધું. પંજાબમાં BJP એકલા હાથે ચૂંટણી (Lok Sabha Election) લડશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ અહીં ગઠબંધન કર્યું નથી. આમ આદમી પાર્ટી માટે પણ આ એક મોટો ફટકો છે કારણ કે પાર્ટીએ ફરીથી સુશીલ કુમાર રિંકુને જલંધર સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે AAP નેતાઓએ તેમને પાર્ટીમાંથી રોકવાની કોશિશ પણ કરી પરંતુ તેઓ રોકાયા નહીં. તેમણે 2023 ની પેટાચૂંટણીમાં જલંધર બેઠક પર 58,691 મતોના જંગી માર્જિનથી જીત મેળવી હતી.
સુશીલ કુમાર 2023 માં કોંગ્રેસમાંથી AAP માં આવ્યા હતા
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુશીલ કુમાર રિંકુ એપ્રિલ 2023માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દરમિયાન AAPએ તેમને જલંધર સંસદીય સીટ પર પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા. હવે એવું માનવામાં આવે છે કે સુશીલ કુમાર રિંકુ BJP ની ટિકિટ પર લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) લડશે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે પાર્ટી તેમને કઈ સીટ પરથી ઉતારી શકે છે.
#WATCH | Sushil Kumar Rinku and Sheetal Angural meet BJP national president JP Nadda at his residence, in Delhi.
The two AAP leaders joined the BJP a short while ago. pic.twitter.com/eXXBE3ZMGu
— ANI (@ANI) March 27, 2024
આ કારણોસર BJP માં જોડાયા
BJP માં જોડાયા બાદ સુશીલ કુમાર રિંકુએ એક મોટી વાત કહી છે, તેણે કહ્યું, “એ સાચું છે કે મેં જલંધરના લોકોને જે વચનો આપ્યા હતા તે પૂરા થયા નથી કારણ કે મારી પાર્ટી (આપ)એ મને સમર્થન આપ્યું નથી. હું પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ… અને સંઘની કાર્યશૈલીથી પ્રભાવિત છું. સુશીલ કુમાર રિંકુએ વધુમાં કહ્યું કે, “મેં આ નિર્ણય જલંધરના વિકાસ માટે લીધો છે. અમે જલંધરને આગળ લઈ જઈશું. અમે કેન્દ્ર સરકારના તમામ પ્રોજેક્ટને જલંધરમાં લાવીશું.”
#WATCH | Delhi: After joining BJP, former AAP leader Sushil Kumar Rinku says, "I have taken this decision for the development of Jalandhar. We will take Jalandhar forward. We will bring all the projects of the Central Government to Jalandhar." pic.twitter.com/pe60NWCvx7
— ANI (@ANI) March 27, 2024
રવનીત બિટ્ટુ પણ BJP માં જોડાયા
પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સતત BJP માં જોડાઈ રહ્યા છે. મંગળવારે જ લુધિયાણાના કોંગ્રેસના સાંસદ રવનીત બિટ્ટુ BJP માં જોડાયા હતા. બિટ્ટુ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહનો પૌત્ર છે, જેની 1995 માં ચંદીગઢમાં આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી.
MP Sushil Kumar Rinku & Punjab MLA Sheetal Angural join the BJP at party headquarters in Delhi. https://t.co/e8DYOT2WSX
— BJP (@BJP4India) March 27, 2024
1 જૂનના રોજ એક જ તબક્કામાં તમામ બેઠકો પર ચૂંટણી
પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે અને તમામ બેઠકો પર 1 જૂને મતદાન થશે. આ વખતે લોકસભા ચૂંટણી (Lok Sabha Election)નો આ સાતમો અને છેલ્લો તબક્કો હશે. આ પછી 4 જૂને ચૂંટણી પરિણામ આવશે.
આ પણ વાંચો : Code of Conduct Rules : આચારસંહિતા એટલે શું? સામાન્ય લોકો માટે પણ નિર્ધારિત છે નિયમો
આ પણ વાંચો : Lok Sabha Election 2024 : વરુણ ગાંધીએ ચૂંટણી ના લડવાનું કર્યું એલાન, માતા મેનકા ગાંધી માટે કરશે પ્રચાર