Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રેપો રેટને લઈને RBI ગવર્નર શક્તિકાંત દાસે જાણો શું કહ્યું

09:22 PM Apr 14, 2023 | Hiren Dave
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા વ્યાજ દર પર લોકોને રાહત આપી છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા (MPC) માં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈ તરફથી રેપો રેટ માત્ર 6.5 ટકા જ જાળવી રાખવામાં આવ્યો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે દ્વિ-માસિક નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરતાં જણાવ્યું હતું કે યુ.એસ.માં બેંક નિષ્ફળતાને કારણે નાણાકીય કટોકટી એક મુદ્દો છે. મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠકના આજે પરિણામો આવ્યા છે.

RBI decides to keep repo rate unchanged at 6.5 PC

Read @ANI Story | https://t.co/Gln9UddTkk#RBI #MPC #RepoRate #Unchanged #Governor #ShaktikantaDas pic.twitter.com/ieY9avraw1

— ANI Digital (@ani_digital) April 6, 2023
રેપો રેટને કોઈ ફેરફાર કર્યો નથી
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોનેટરી પોલિસી કમિટીએ સર્વસંમતિથી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. અર્થવ્યવસ્થાના વિકાસને ચાલુ રાખવા માટે રેપો રેટ અગાઉના સ્તરે યથાવત રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, જો જરૂર પડશે તો અમે પરિસ્થિતિ અનુસાર પગલાં લઈશું. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે બેંકિંગ અને એનબીએફસી નાણાકીય વ્યવસ્થા મજબૂત છે.
આર્થિક વૃદ્ધિ દર 7 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે
આરબીઆઈ દ્વારા 2022-23માં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ છે. RBI ગવર્નરે કહ્યું કે મોંઘવારી દર હજુ પણ ઊંચો છે. મોંઘવારી દરમાં વધારો ન થવાને કારણે મે 2022થી શરૂ થયેલી વ્યાજ દરમાં વધારો કરવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે મે 2022થી કેન્દ્રીય બેંકે રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો છે. આ દરમિયાન રેપો રેટ 4 ટકાથી વધીને 6.5 ટકા થઈ ગયો છે. હાલમાં તે ચાર વર્ષના સર્વોચ્ચ સ્તરે ચાલી રહ્યું છે.
સૌથી વધુ રાહત કોને મળી?
વિવિધ બેંકો પાસેથી લોન લેનારા ગ્રાહકોને રેપો રેટ અગાઉના સ્તરે જ જાળવી રાખવાનો મહત્તમ લાભ મળશે. હાલમાં બેંકો તરફથી કોઈપણ પ્રકારની લોન પર વ્યાજ દર વધારવાની કોઈ આશા નથી. જો RBI દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો તેની અસર બેંકોના વ્યાજદર પર થવાની ખાતરી હતી. જેના કારણે હોમ લોન ચુકવતા ગ્રાહકોના હપ્તા વધી ગયા હશે.
શેરબજારમાં રિકવરી
અગાઉ, ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં પ્રારંભિક વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 5 પૈસા ઘટીને 81.95 પર ખુલ્યો હતો. બુધવારે યુએસ ડોલર સામે રૂપિયો 42 પૈસા સુધરીને 81.90 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ, MPCના પરિણામો પહેલા વ્યાજદરમાં વધારો થવાની સંભાવનાને કારણે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. શરૂઆતમાં BSE નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 165.16 પોઈન્ટ ના ઘટાડા સાથે 59,524.15 પોઈન્ટ પર ખુલ્યો હતો. એ જ રીતે નિફ્ટી 45.5 પોઈન્ટના ઘટાડા સાથે 17,511.55 પોઈન્ટ પર ખુલ્યો હતો. MPCની જાહેરાત બાદ શેરબજારે રાહતનો શ્વાસ લીધો હતો અને તેમાં રિકવરીનો દોર જોવા મળ્યો હતો.